અનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે?
હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ સામે હવે તેમના સાથી કલાકારોએ પણ મોરચો ખોલી દીધો છે.
હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહને એ સમયે લોકોના ગુસ્સાના શિકાર થવુ પડ્યુ જ્યારે તેમણે કહ્યુ કે તેમને આ દેશમાં હવે ડર લાગવા લાગ્યો છે, સમાજમાં ઝેર ભળી ગયુ છે, લોકોએ શાહને તેમના એ નિવેદન માટે પણ ટ્રોલ કર્યા, લોકોએ તેમની સામે નિવેદનબાજી કરતા લખ્યુ કે નસીર સાહેબ રાજકીય ડ્રામા કરી રહ્યા છે. જ્યારે 26/11નો હુમલો થયો ત્યારે તેમને ડર ન લાગ્યો, આજે કેમ ડર લાગી રહ્યો છે, હવે તેમની સામે તેમના સાથી કલાકારોએ પણ મોરચો ખોલી દીધો છે.

નસીરુદ્દીનને અનુપમ ખેરે પૂછ્યુ - હજુ કેટલી આઝાદી જોઈએ?
હિંદી સિનેમાના જાણીતા અભિનેતા અનુપમ ખેરે નસીરુદ્દીનને સવાલ પૂછ્યો કે, ‘છેવટે હજુ કેટલી આઝાદી જોઈએ?' અનુપમ ખેરે કહ્યુ કે દેશમાં એટલી આઝાદી છે કે સેનાને અપશબ્દ કહી શકાય છે, એર ચીફની બુરાઈ કરી શકાય છે અને સૈનિકો પર પથરાવ કરી શકાય છે. નસીરુદ્દીન શાહને જે કહેવુ હતુ તે તેમણે કહી દીધુ પરંતુ આનો અર્થ એ નહિ કે જે કહેવામાં આવ્યુ તે સત્ય છે.
|
તમે કોના વિશે વાત કરી રહ્યા છો - અભિજીત ભટ્ટાચાર્ય
આ પહેલા ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ પણ કહ્યુ હતુ કે કાશ્મીરમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર નસીરુદ્દીન શાહે કંઈ પણ કહ્યુ નથી, આજે આ શેના વિશે વાત કરી રહ્યા છે.

68 વર્ષની ઉંમરે તેમને ડર કેમ લાગ્યો - અખિલ ભારત હિંદુ મહાસભા
અખિલ ભારત હિંદુ મહાસભાના જિલ્લા અધ્યક્ષ અને હિંદુ ન્યાય પીઠ હિંદુ મહાસભાના પ્રદેશ પ્રવકતા અભિષેક અગ્રવાલ તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. આમાં નસીરુદ્દીન શાહને પૂછવામાં આવ્યુ હતુ કે 68 વર્ષની ઉંમરમાં તેમને કેમ ડર લાગ્યો, તમે જે ભૂમિકા ફિલ્મ સરફરોશમાં નિભાવી હતી આજે તેના જેવા જ લાગી રહ્યા છો. પોતાના સંદેશમાં નસીરુદ્દીન શાહ સામે દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરતા કહ્યુ છે કે અન્યથાની દશામાં હિંદુ મહાસભા તેમને જવાબ આપવા માટે તૈયાર છે.

આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી છે - નસીરુદ્દીન શાહ
તમને જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતાઓમાંના એક ગણાતા નસીરુદ્દીન શાહે બુલંદશહર હિંસા પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આજે દેશની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. સમાજમાં ચારે તરફ ઝેર ફેલાઈ ચૂક્યુ છે. આજે ગાયનો જીવ માણસથી કિંમતી છે. તેમણે કહ્યુ કે આજે કાયદો હાથમાં લેવાની ખુલ્લી છૂટ છે. કોઈ ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈને પણ ગોળી મારી દે છે અને કોઈ કંઈ કરતુ પણ નથી. તેમણે કહ્યુ કે મને ડર નથી લાગતો પરંતુ દેશની સ્થિતિ પર ગુસ્સો આવે છે, પોતાના બાળકો માટે ચિંતા થાય છે.

સમાજમાં ઝેર ફેલાઈ ચૂક્યુ છેઃ નસીરુદ્દીન શાહ
એક વેબસાઈટ સાથે વાતચીત કરતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે આપણે બુલંદશહર હિંસામાં જોયુ કે આજે દેશમાં એક ગાયના મોતનું મહત્વ પોલિસ અધિકારીના જીવથી વધુ હોય છે. મને એ વાતનો ડર લાગે છે કે ક્યાંક મારા બાળકોને ભીડે ઘેરી લીધા અને તેમને પૂછવામાં આવે કે તમે હિંદુ છો કે મુસલમાન? મારા બાળકો પાસે આનો કોઈ જવાબ નહિ હોય અને ત્યારબાદ ભીડ કંઈ પણ કરી શકે છે અને આપણામાંથી કોઈ કંઈ નહિ કરી શકે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
