શું તમને ખબર છે ચૂંટણીમાં રણનીતિની સલાહ આપવા માટે પ્રશાંત કિશોર કેટલી ફી લે છે? ચાર્જ અંગે પોતે જ કર્યો ખુલાસો
Prashant Kishor: દરેક ચૂંટણીમાં જે નામની ચર્ચા હંમેશા ચાલતી હોય છે તેનું નામ છે ચૂંટણી રણનીતિકાર પ્રશાંક કિશોર. પ્રશાંત કિશોર રાજકીય પાર્ટીઓની રણનીતિ નક્કી કરતા હોય છે અને દર ચૂંટણીમાં તેઓ કોની રણનીતિ નક્કી કરે છે તે જાણવા માટે લોકો ઉત્સુક્ત હોય છે.
ત્યારે આ ચૂંટણી માં રણનીતિ નક્કી કરવા માટે પ્રશાંત કિશોર કેટલી રકમ લે છે તે ત્યારે આ અંગને પણ ખુલાસો પ્રશાંત કિશોરે જ કર્યો છે.
જન સૂરજના કન્વીનર પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ચૂંટણી રણનીતિકાર તરીકે તેઓ કોઈપણ રાજકીય પક્ષ કે નેતાને સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે.
બિહારમાં 31 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે પ્રચાર કરતી વખતે પ્રશાંત કિશોરે ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પોતાની ફી જાહેર કરી હતી.
બેલાગંજમાં એક કાર્યક્રમમાં બોલતા પ્રશાંત કિશોરે કહ્યું કે, લોકો વારંવાર તેમને પૂછે છે કે તેઓ તેમના ચૂંટણી પ્રચાર માટે પૈસા ક્યાંથી એકત્રિત કરે છે.

પ્રશાંત કિશોરે કહ્યું, "વિવિધ રાજ્યોમાં દસ સરકારો મારી વ્યૂહરચના પર ચાલી રહી છે. શું તમને લાગે છે કે મારી પાસે મારા અભિયાન માટે તંબુ અને છત્રી ગોઠવવા માટે પૂરતા પૈસા નથી? શું તમને લાગે છે કે હું આટલો નબળો છું?"
પ્રચાર માટે પૂરતુ છે ભંડોળ
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું, હું ચૂંટણીમાં સલાહ આપવા માટે 100 કરોડ લઉં છું, પ્રશાંત કિશોરે આગળ કહ્યું, બિહારમાં મારા જેવી ફી વિશે કોઈએ સાંભળ્યું નથી. જો હું માત્ર એક ચૂંટણીમાં કોઈને સલાહ આપું તો મારી ફી 100 કરોડ રૂપિયા અથવા તેનાથી પણ વધુ છે. આગામી બે વર્ષ માટે હું આવી જ એક ચૂંટણી સલાહથી મારા પ્રચાર માટે ભંડોળ પૂરું પાડી શકું છું.
4 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર
જન સૂરજે બિહારની ચાર બેઠકો પર પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. બેલાગંજથી મોહમ્મદ અમજદ, ઈમામગંજથી જિતેન્દ્ર પાસવાન, રામગઢથી સુશીલ કુમાર સિંહ કુશવાહ અને તરરીથી કિરણ સિંહ પાર્ટીના ઉમેદવાર છે. 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ ચાર બેઠકોમાં બેલાગંજ, ઈમામગંજ, રામગઢ અને તરરીનો સમાવેશ થાય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
