NCERT નો અડધો સિલેબસ ખતમ કરશે સરકારઃ પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે મંત્રાલયે NCERT ના અડધા સિલેબસને ખતમ કરવાનો નિર્ણય લીધો છે કારણક તે જટિલ છે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે મંત્રાલયે NCERT ના અડધા સિલેબસને ખતમ કરવાનો નિર્ણય લીધો છે કારણક તે જટિલ છે. તેમણે કહ્યુ કે, "એક છાત્રને અભ્યાસની સાથે સાથે ફિઝિકલ એજ્યુકેશન, લાઈફ સ્કીલ્સ અને વેલ્યુ એઝ્યુકેશનની પણ જરૂરત હોય છે."
કેન્દ્ર સરકારે NCERT સિલેબસ અંગે મોટુ નિવેદન આપ્યુ છે જેનાથી લાખો છાત્રોના ભવિષ્ય પર અસર પડશે. માનવ સંશાધન વિકાસ મંત્રી રકાશ જાવડેકરે કહ્યુ કે સરકારે NCERT ના સિલેબસને અડધો કરવાનો નિર્ણય કર્યો છે. જાવડેકરે જણાવ્યુ કે NCERT નો અડધો સિલેબસ જટિલ છે તેને ખતમ કરી દેવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે આ વાત પર પણ જોર આપ્યુ કે બાળકો માટે અભ્યાસની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પણ જરૂરી છે. તેમણે કહ્યુ કે એક બાળકને ફિઝિકલ એજ્યુકેશન, વેલ્યુ એજ્યુકેશન અને લાઈફ સ્કિલ્સ પણ શીખવવી જોઈએ. મંત્રીએ કહ્યુ કે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ મહિનાના અંત સુધીમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.