પહેલા મુસ્લિમોનું હિત, પછી સરકારઃ મુલાયમ સિંહ
લખનઉ, 18 માર્ચઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર મુસલમાનો સાથે અન્યાય નહીં થવા દે. સરકાર ટૂંક સમયમાં નિર્દોષ લોકો વિરુદ્ધ દાખલ તમામ કેસ પરત લેશે. રાજધાની ગોલાગંજ સ્થિત રિફાહે આમ ક્લબ મેદાનમાં આયોજિત જમિયત-ઉલેમાના જલસામાં મુલાયમ સિંહ યાદવે કહ્યું કે અમારા માટે મુસલમાનોનું હિત સર્વોપરી છે.

જલાસમાં ભીડે કુંડાના સીઓ રહેલા જિયા ઉલ હકની હત્યા મામલે રાજા ભૈયા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા સાથે જ તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ પણ કરી. નોંધનીય છે કે કુંડા સીઓ જિયા ઉલ હકની ડ્યૂટી દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શહીદ સીઓની પત્ની પરવીન આઝાદે બાહુબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર હત્યાનું ષડયંત્રનો આરોપ મુક્યો હતો. ત્યારબાદ રાજા ભૈયાને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે, આ મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
