કુમાર વિશ્વાસના આરોપો પર કેજરીવાલે તોડી ચુપ્પી, કહ્યું- શાયદ હું દુનિયાનો સૌથી સ્વિટ આતંકવાદી છુ
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના આરોપોને લઈને ચાલી રહેલા રાજકીય ખળભળાટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનું મૌન તોડ્યું છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ સમગ્ર મામલે જવાબ આપતા કહ્યું કે ત
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના આરોપોને લઈને ચાલી રહેલા રાજકીય ખળભળાટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનું મૌન તોડ્યું છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ સમગ્ર મામલે જવાબ આપતા કહ્યું કે તેઓ આ બધું કોમેડી માને છે. કેજરીવાલે કહ્યું કે જો તે આતંકવાદી છે, અલગતાવાદીઓના સમર્થક છે તો કેન્દ્ર સરકારની એજન્સીઓ આટલા લાંબા સમયથી શું કરી રહી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ અલગતાવાદીઓ સાથે ગઠબંધન કરીને દેશના બે ટુકડા કરીને વડાપ્રધાન બનવા માંગે છે.

કુમાર વિશ્વાસના આરોપોનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું, 'આ બધા લોકો ભેગા થયા છે. મોદીજી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ચન્ની સાબ, કેપ્ટન અમરિન્દર, સુખબીર બાદલ, સિદ્ધુ... આ બધા લોકો ભેગા થયા છે. અને, આ બધા લોકો એક સાથે શું આરોપ લગાવી રહ્યા છે કે કેજરીવાલ છેલ્લા 10 વર્ષથી દેશને બે ટુકડામાં વહેંચવાની યોજના બનાવી રહ્યા છે અને તેમાંથી તેઓ એક ટુકડે વડા પ્રધાન બનવા માંગે છે. મતલબ... તે કોમેડી થઇ ગઈ છે, તે હાસ્યસ્પદ બાબત છે.'
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, '10 વર્ષથી કેજરીવાલ એવી યોજના બનાવી રહ્યા છે કે હું દેશના બે ટુકડા કરી દઈશ અને તેમાંથી એકનો વડાપ્રધાન બનીશ. તો તેનો અર્થ એ છે કે હું બહુ મોટો આતંકવાદી બની ગયો છું. તો તેમની તમામ સુરક્ષા એજન્સીઓ શું કરી રહી છે? છેલ્લા 10 વર્ષમાં ત્રણ વર્ષ કોંગ્રેસની સરકાર હતી, તેઓએ શું કર્યું? સાત વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, મોદી સરકાર છે, મોદીજીએ શું કર્યું, મારી ધરપકડ કેમ ન કરી? તેમની એજન્સીઓ અત્યાર સુધી શું કરી રહી હતી?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
