IAS Pooja Khedkar : નકલી IAS પૂજા ખેડકરની ઘરવાપસી નક્કી, તપાસમાં મોટા ખુલાસા થયા
IAS Pooja Khedkar : નકલી ડોક્યુમેન્ટ બનાવીને આઈએએસ બનનારી પૂજા ખેડકરને લઈને ઘણા ખુલાસા ખયા છે. અહેવાલો અનુસાર, આ પુરાવાના આધારે તેને હટાવી શકાય છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને કહ્યું છે કે તે વિવાદાસ્પદ તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ અનેક પગલાં લેશે. UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે.

આ ઉપરાંત સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે તેમની ઉમેદવારી કેમ રદ ન કરવી અને ભવિષ્યમાં તેમને પરીક્ષામાં બેસતા કેમ અટકાવવામાં ન આવે તે અંગે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
યુપીએસસીએ પૂજા ખેડકર સામે વિવિધ પગલાં લેવાની ધમકી આપી છે. પૂજા ખેડકર પર સિવિલ સર્વિસમાં પોસ્ટ મેળવવા માટે છેતરપિંડી કરવાનો આરોપ છે. પૂજા પર પુણેમાં તાલીમ દરમિયાન પોતાની સત્તા અને વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.
પૂજા ખેડકર વિરૂદ્ધ તપાસમાં શું મળ્યુ?
- તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરે તેની ઓળખ ખોટી રીતે છેતરપિંડી કરીને મર્યાદા કરતાં વધુ વખત પરીક્ષાનો પ્રયાસ કર્યો છે.
- પૂજા ખેડકરે છેતરપિંડીમાં પોતાનું નામ તેના માતા-પિતાના નામ, તેના ફોટોગ્રાફ અને હસ્તાક્ષર પણ બદલ્યા છે. આટલું જ નહીં તેણે પોતાનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને એડ્રેસ પણ ઘણી વખત બદલ્યું છે.
- UPSC દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરે તેનું નામ, તેણીના પિતા અને માતાનું નામ, તેણીના ફોટોગ્રાફ/સહી, તેણીનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલ્યું છે. તેની ઓળખ બદલીને તેણે પરીક્ષાના નિયમો મુજબ મર્યાદા કરતા વધુ વખત પરીક્ષા આપી છે.
- પંચે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે અને પૂજા ખેડકરની ઉમેદવારી રદ ન કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેઓ તેને ભવિષ્યની પરીક્ષાઓમાંથી બાકાત રાખવાની પણ માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
