કોઇપણ અભિનેતા હોય... રણબીરની જેમ નિવેદન આપશે તો કરીશુ વિરોધ: બજરંગ દળ
'રોકસ્ટાર' અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં 'બીફ' ખાવા અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે વિરોધનો સામનો કરી રહ્યો છે. બજરંગ દળના સભ્યોએ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તાજેતરની ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકા
'રોકસ્ટાર' અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં 'બીફ' ખાવા અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે વિરોધનો સામનો કરી રહ્યો છે. બજરંગ દળના સભ્યોએ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તાજેતરની ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત દરમિયાન વિરોધ કર્યો હતો. બજરંગ દળના સભ્યોએ કહ્યું કે રણબીર અને આલિયાને મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં કારણ કે રણબીરે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
11 વર્ષ જૂના ટ્વિટ પર વિવાદ, લોકોને બ્રહ્માસ્ત્ર ન જોવાની અપીલ
રણબીર કપૂર હાલમાં તેની 11 વર્ષ જૂની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યો છે. ટ્રોલર્સ ટ્વિટર પર #BoycottBrahmastra હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને ફિલ્મ ન જોવાની અપીલ કરી રહ્યા છે.
રણબીર-આલિયા વિશે બજરંગ દળે આ વાત કહી
આ મામલે ANI સાથે વાત કરતા બજરંગ દળના સભ્ય અંકિત ચૌબેએ કહ્યું કે રણબીર કપૂર આપણા દેશના હિન્દુ યુવાનોમાં રોલ મોડલ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેની તમામ ફિલ્મોને નેટીઝન્સ તરફથી સારો પ્રતિસાદ મળે છે. પરંતુ પાકિસ્તાની એન્કરની સામે 'બીફ' ખાવાનું તેમનું નિવેદન સ્વીકાર્ય ન હતું અને અમે તેનો વિરોધ કર્યો હતો. જો કોઈ આપણા ધર્મ અને સંસ્કૃતિ વિશે આવી વાત કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે. અંકિત ચૌબેએ કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે રણબીર બાબા મહાકાલ મંદિરમાં આશીર્વાદ લેવા આવી રહ્યા છે ત્યારે અમે તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ જો કોઈ બોલીવુડ સેલિબ્રિટી આપણા ધર્મ અને સંસ્કૃતિ પર આવી ટિપ્પણી કરશે તો બજરંગ દળ ફરી તેનો વિરોધ કરશે.
ફિલ્મનો બજરંગ દળના સભ્યોએ કાળા ઝંડા લઈને વિરોધ કર્યો
જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉજ્જૈનમાં દર્શન માટે પહોંચ્યા ત્યારે બજરંગ દળના સભ્યો ફિલ્મના વિરોધમાં મહાકાલેશ્વર મંદિરમાં કાળા ધ્વજ અને પ્લેકાર્ડ લઈને આવ્યા હતા. હંગામાને જોતા, સ્થાનિક પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને કેટલાક દેખાવકારોને પોલીસ અધિકારીઓએ સુરક્ષાનો ભંગ કરવા બદલ લાઠીચાર્જ કર્યો હતો.
રણબીર - આલિયાને ન હતી દર્શનની પરવાનગી
વિરોધ અંગે વાત કરતા, કલેક્ટર અને મહાકાલેશ્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ આશિષ સિંહે ANIને જણાવ્યું કે પહેલા જૂથે અમને કહ્યું કે તેઓ મંદિરમાં વિરોધ પ્રદર્શન કરવાના નથી, તેમ છતાં અમારી તરફથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રણબીર અને આલિયાને મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતા. માત્ર અયાન મુખર્જીને જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.