મલ્લિકાર્જુન ખડગેએ કરી જાહેરાત- જો હુ અધ્યક્ષ બન્યો તો ઉદયપુર ઘોષણા પત્ર લાગુ કરીશ
આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ, મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરમાંથી કોઈ પણ નેતાએ પીછેહઠ કરી ન હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે. કોંગ્રેસ અધ્યક્ષ
આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ, મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરમાંથી કોઈ પણ નેતાએ પીછેહઠ કરી ન હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક મોટી જાહેરાત કરી છે. "જો તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાય છે, તો તેઓ 'ઉદયપુર મેનિફેસ્ટો'નો અમલ કરશે."
મીડિયા સાથે વાત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પાર્ટીમાં 50 ટકા પદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવશે. ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસ ચિંતન શિબિરમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને હું તેને પૂર્ણ કરીશ. ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના 'ચિંતન શિબિર'માં આ મેનિફેસ્ટોને મંજૂરી આપવામાં આવી હતી. 'ઉદયપુર મેનિફેસ્ટો' અનેક પ્રસ્તાવોનો સંગ્રહ છે. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.
તેલંગાણામાં આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ જણાવ્યું હતું કે, "ઘણા લોકોએ પક્ષ બદલી નાખ્યો છે, (જેઓએ છોડી દીધું છે) તેઓએ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ડરથી આમ કર્યું છે અને પોસ્ટ માટે નહીં." આ દરમિયાન 80 વર્ષીય નેતા ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરૂર સાથે મતભેદની વાત પણ કરી હતી. તેણે કહ્યું, 'આ અમારા ઘરની વાત છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. એક વ્યક્તિ એકલી કામ કરી શકતી નથી. "હું" નહી "અમે" હોવો જોઈએ. નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે.
ખગડે થરૂરની ટીપ્પણી સાથે પણ સહમત થયા હતા, જેમાં થરૂરે કહ્યું હતું કે જો તેઓ ચૂંટાશે તો પાર્ટીમાં મોટો ફેરફાર કરશે. આ દરમિયાન ખડગેએ મીડિયાને કહ્યું, 'કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં 9,300 મતદારો ભાગ લેશે. હું દરેક રાજ્યમાં મતદાતાઓ સમક્ષ મારી વાત રજૂ કરવાનો છું. હું રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય સ્થળોએ ગયો હતો. આ દરમિયાન તમામ વરિષ્ઠ નેતાઓએ મને કહ્યું કે, એવા સમયે જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ચૂંટણી લડવા માંગતા નથી, ત્યારે આપણે પાર્ટીને મજબૂત રાખવી જોઈએ.