સ્પેશિયલ ટ્રીટમેંટ જોઇએ તો 'વંદે માતરમ' બોલો નહીંતર પાકિસ્તાન જાવ
મુંબઇ, 3 માર્ચ: શિવસેનાએ મંગરવારે જણાવ્યું કે ભારતમાં રહેનારા મુસલમાનો જો વિશેષ સુવિધાઓ મેળવવા માંગતા હોય તો તેમણે પાકિસ્તાન જતું રહેવું જોઇએ. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં જણાવ્યું, 'જો મુસલમાન આ દેશ પાસેથી કંઇ ઇચ્છતા હોય તો પહેલા ભારતને પોતાની માતૃભૂમિ સ્વીકાર કરે અને 'વંદે માતરમ' બોલે.' કહેવામાં આવી રહ્યું છે કે 'સામના'માં પ્રકાશિત લેખ એક માર્ચના રોજ ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મુસલમીન પ્રમુખ અસદુદ્દીન ઔવૈસીના નાગપુરમાં આપવામાં આવેલા ભાષણની પ્રતિક્રિયા સ્વરૂપે આવી છે, જ્યાં તેમણે મહારાષ્ટ્રમાં મરાઠીઓની જેમ જ મુસલમાનોને પણ અનામત આપવાની માંગ કરી હતી.
શિવસેનાએ ઓવૈસીની વાત પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પોતાનું વલણ ફરી કહેતા જણાવ્યું કે અનામત નીતિ સામાજિક માપદંડો પર આધારિત હોવી જોઇએ, નહીં કે ધર્મના તર્જ પર. શિવસેનાએ જણાવ્યું કે 'ગરીબ મુસલમાનોને અનામત આપવું જોઇએ. એટલા માટે નહીં તેઓ મુસલમાન છે, પરંતુ એટલા માટે કે તેઓ ભારતના નાગરિક છે.' પાર્ટીએ તમામ લોકોને, ખાસ કરીને હિન્દુઓ અને મુસલમાનોથી એ વિચારધારાને અપનાવવાની અપીલ કરતા જણાવ્યું કે તેનાથી જ વોટબેંક અને આરક્ષણની રાજનીતિ ખતમ થઇ શકે છે અને દેશની પ્રગતિમાં મદદ મળી શકે છે.
ઓવૈસીના ભાષણને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું શિવસેનાએ તેની તપાસ કરાવ્યાની માંગ કરી અને તેમણે મહારાષ્ટ્રમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે તો એ પ્રકારનું નિવેદન નથી આપ્યું. પાર્ટીએ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે આ મુદ્દા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.