'જો મોદી હશે PM ઉમેદવાર, તો જ બનશે NDA સરકાર'

ઇન્ડિયા ટૂડે અને સીવોટરના નેશનલ ઓપિનિયન પોલ અનુસાર આવનાર ચૂંટણીમાં એનડીએ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હશે, જ્યારે યૂપીએને 90 બેઠકોનું નુકસાન ભોગવવું પડશે. પરંતુ એનડીએની જીતનો આંકડો ત્યારે વધી જશે જ્યારે નરેન્દ્ર મોદી તેની તરફથી પીએમ પદના ઉમેદવાર હશે.
પોલના પરિણામો કહે છે કે વર્ષ 2009 માં યોજાયેલ ચૂંટણીમાં 227 બેઠકો જીતનાર યૂપીએને આવતા વર્ષે 90થી 95 બેઠકોનું નુકસાન થઈ શકે છે. એનો અર્થ એ છે કે યૂપીએના ખાતામાં 132 બેઠકો જ આવી શકશે. યૂપીએના ઘટકદળોમાં પણ કોંગ્રેસને જ સૌથી વધારે 90 સીટોનું નુકસાન ઉઠાવવું પડશે. હાલમાં કોંગ્રેસની પાસે 206 બેઠકો છે, જ્યારે આવનાર ચૂંટણીમાં આ આંકડો ઘટીને 116 રહી જશે.
2009માં 9 બેઠકો પર જીત હાસલ કરનાર એનસીપીને પણ 3 બેઠકોનું નુકસાન થશે. ઓપિનિયન પોલમાં એ વાત એકદમ સ્પષ્ટ થઇ ગઇ છે કે આવનાર ચૂંટણીમાં બીજેપી હાલની તુલનાએ 21 બેઠકોના ફાયદા સાથે 137 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવશે.
મોદી ફેક્ટરનો જોવા મળશે જાદુ: મનમોહન સિંહ સરકારની 9 વર્ષોના પર્ફોમન્સના આધારે કરવામાં આવેલ આ પોલમાં મોદી ફેક્ટરનો પ્રભાવ પણ જોવા મળશે. પોલના પરિણામ અનુસાર જો એનડીએ નરેન્દ્ર મોદીને પોતાના પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કરે છે તો, મતોનું ધ્રુવીકરણ થશે. મતોના આ ધ્રુવીકરણનો ફાયદો બીજેપી અને કોંગ્રેસ બંનેને જ મળશે, તો પણ વધારે ફાયદો એનડીએને જ મળતો દેખાઇ રહ્યો છે. 2009માં 152 બેઠકો મેળવનાર એનડીએ જો મોદી વગર ચૂંટણી લડે છે તો માત્ર 27 બેઠકોનો ફાયદો કરી શકશે. જ્યારે મોદી પીએમ કેન્ડિડેટ બનશે તો એનડીએને સામાન્યથી 41 બેઠકો વધારે મળશે.
યૂપીએને પણ થશે ફાયદો: એવું નથી કે મોદીના પીએમ કેન્ડિડેટ બનવાથી એનડીએને જ ફાયદો થશે. યૂપીએને પણ તેનાથી ફાયદો મળી શકે છે. મોદીના પીએમ કેન્ડિડેટ બનવાથી યૂપીએને 23 સીટોનો ફાયદો થશે અને તેમની સીટોની સંખ્યા 155 થઇ જશે. પરંતુ એટલું નક્કી છે કે મોદીને પીએમ કેન્ડિડેટ નહી બનાવવાથી એનડીએને કોઇ ફાયદો નહી થાય.
અન્ય મોર્ચાઓ ઉઠાવશે ફાયદો: યૂપીએ અને એનડીએની લડાઇની વચ્ચે વાસ્તવિક ફાયદો અન્ય મોર્ચાઓ અને રીઝનલ પાર્ટિઓને મળતો દેખાઇ રહ્યો છે. આવનાર ચૂંટણીમાં જો મોદી ફેક્ટર નહી રહે તો આ ગંઠબંધનો ઉપરાંત બીજી પાર્ટીઓને 68 બેઠકોનો ફાયદો ઉઠાવી જશે. પરંતુ જો મોદી પીએમ પદના ઉમેદવાર બને છે તો આ પાર્ટીઓને સામાન્ય કરતા 64 બેઠકોનું નુકસાન થશે. એટલે કે વર્ષ 2009ની તુલનાએ અન્યના ખાતામાં માત્ર 4 જ બેઠકો વધારે જશે. આ ઓપિનિયન પોલથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોદી ફેક્ટર ચૂંટણીમાં મોટો ફેરબદલ કરવાની ક્ષમતા ધરાવે છે.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કથિત 'અવગણના' પર વિવાદ: કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ







Click it and Unblock the Notifications
