ભટકલનો ખુલાસો, નક્સલીઓની જેમ નેતાઓને નિશાનો બનાવશે IM
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : મે મહીનામાં છત્તીસગઢમાં દરભા ઘાટીમાં કોંગ્રેસ નેતાઓના કાફલા પર નક્સલવાદીઓના હુમલાની પદ્ધતિને ઇન્ડિયન મુઝાહિદ્દીન પણ અપનાવી શકે છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી યાસીન ભટકલ અને અસદૂલ્લાહ અખ્તરે પૂછપરછમાં આ પ્રકારનો ખૂલાસો કર્યો.
એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર આ ખુલાસા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને હાઇ એલર્ટ જારી કરી દીધું છે અને નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા જણાવ્યું છે.
સરકાર પાડવા માટે નેતાઓનું મરવું જરૂરી
સૂત્રો અનુસાર ઇન્ડિયન મુઝાહિદ્દીનની રણનીતિમાં પરિવર્તન આવ્યું છે. આઇએમને લાગે છે કે નાગરિકો પર હુમલાથી સરકાર સંકટમાં નથી આવતી. તેઓ હુમલામાં ઘાયલ અથવા મૃતકોને વળતર આપીને બચી જાય છે. જો નેતાઓ પર હુમલો કરવામાં આવશે, તો સરકારનું તંત્ર અને તેની વિશ્વનીયતા પર દાગ લાગશે.
ઇન્ડિયન મુઝાહિદ્દીને નક્કી કરી લીધું છે કે સરકાર ડગાવવા માટે નેતાઓનું મરવું જરૂરી છે. આ યોજનાને અંજામ આપવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીને માઓવાદીઓ સાથે સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રાજનૈતિક વાતાવરણ ગરમાઇ ગયું છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના પગલે ઇન્ડિયન મુઝાહિદ્દીને પોતાની આતંકવાદી રણનીતિમાં ફેરફાર કર્યો છે. આવામાં દેશના ગૃહ વિભાગે તમામ રાજ્ય સરકારોને એલર્ટ જારી કરી દીધું છે. તેમણે રાજ્યોને સૂચના આપી છે કે સુરક્ષા એજન્સીઓને દરેક રેલી પહેલા ખાસ સર્ચ ઓપરેશન ચલાવવા જોઇએ.
આ ઉપરાંત નેતાઓના કાફલાનો રૂટ પણ સુરક્ષિત કરવો જોઇએ. એલર્ટમાં રાજ્યોને આગ્રહ કરવામાં આવ્યો છે કે રાજનૈતિક સભાઓની વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે. જેથી કોઇપણ શંકાસ્પદ પ્રક્રિયાને પકડી શકાય.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
