ભટકલનો ખુલાસો, નક્સલીઓની જેમ નેતાઓને નિશાનો બનાવશે IM
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : મે મહીનામાં છત્તીસગઢમાં દરભા ઘાટીમાં કોંગ્રેસ નેતાઓના કાફલા પર નક્સલવાદીઓના હુમલાની પદ્ધતિને ઇન્ડિયન મુઝાહિદ્દીન પણ અપનાવી શકે છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી યાસીન ભટકલ અને અસદૂલ્લાહ અખ્તરે પૂછપરછમાં આ પ્રકારનો ખૂલાસો કર્યો.
એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર આ ખુલાસા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને હાઇ એલર્ટ જારી કરી દીધું છે અને નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા જણાવ્યું છે.
સરકાર પાડવા માટે નેતાઓનું મરવું જરૂરી
સૂત્રો અનુસાર ઇન્ડિયન મુઝાહિદ્દીનની રણનીતિમાં પરિવર્તન આવ્યું છે. આઇએમને લાગે છે કે નાગરિકો પર હુમલાથી સરકાર સંકટમાં નથી આવતી. તેઓ હુમલામાં ઘાયલ અથવા મૃતકોને વળતર આપીને બચી જાય છે. જો નેતાઓ પર હુમલો કરવામાં આવશે, તો સરકારનું તંત્ર અને તેની વિશ્વનીયતા પર દાગ લાગશે.
ઇન્ડિયન મુઝાહિદ્દીને નક્કી કરી લીધું છે કે સરકાર ડગાવવા માટે નેતાઓનું મરવું જરૂરી છે. આ યોજનાને અંજામ આપવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીને માઓવાદીઓ સાથે સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રાજનૈતિક વાતાવરણ ગરમાઇ ગયું છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના પગલે ઇન્ડિયન મુઝાહિદ્દીને પોતાની આતંકવાદી રણનીતિમાં ફેરફાર કર્યો છે. આવામાં દેશના ગૃહ વિભાગે તમામ રાજ્ય સરકારોને એલર્ટ જારી કરી દીધું છે. તેમણે રાજ્યોને સૂચના આપી છે કે સુરક્ષા એજન્સીઓને દરેક રેલી પહેલા ખાસ સર્ચ ઓપરેશન ચલાવવા જોઇએ.
આ ઉપરાંત નેતાઓના કાફલાનો રૂટ પણ સુરક્ષિત કરવો જોઇએ. એલર્ટમાં રાજ્યોને આગ્રહ કરવામાં આવ્યો છે કે રાજનૈતિક સભાઓની વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે. જેથી કોઇપણ શંકાસ્પદ પ્રક્રિયાને પકડી શકાય.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
