લોકસભા 2019માં કોઈનું કેમ્પેન નહીં કરે પ્રશાંત કિશોર, અહીં જાણો શું છે પીકેનો પ્લાન
લોકસભા 2019માં કોઈનું કેમ્પેન નહીં કરે પ્રશાંત કિશોર, અહીં જાણો શું છે પીકેનો પ્લાન
હૈદરાબાદઃ ભારતીય પોલિટિકલ એનાલિટિક અને ઈન્ફલ્યુઅન્સમાં પ્રકાશ કિશોર માહેર છે. લોકસભા 2014માં પ્રશાંત કિશોરે પીએમ મોદી માટે કેમ્પેન કર્યું હતું બાદમાં લાલુ પ્રસાદ યાદવ અને અખિલેશ યાદવ માટે પણ પ્રશાંત કિશોર કેમ્પેન કરી ચૂક્યા છે. જો કે હવે પ્રશાંત કિશોરે પોલિટિકલ કેમ્પેન ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રશાંત કિશોરે લોકસભા 2019માં પોલિટિકલ કેમ્પેન ન કરીને ફરીથી લોકો સાથે કામ કરવા માગે છે.

જો કે પ્રશાંત કિશોરે પોલિટિક્સ જોઈન કરવાની પણ ના પાડી દીધી છે. હૈદરાબાદમાં સ્કૂલ ઑફ બિઝનેસના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા પ્રકાશ કિશોરે કહ્યું કે તે હવે આ ક્ષેત્ર છોડવા માગે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતીય પોલિટિકલ એક્શન કમિટિ કોઈ સુરક્ષિત હાથમાં હોય તેવું તે ઈચ્છે છે. જણાવી દઈએ કે પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજી અસરકારક હતી અને તેમણે જેમનું પણ કેમ્પેન કર્યું તેમને નિષ્ફળ નથી થવા દીધા.
પત્રકાર શંકરસન ઠાકુરે પૂછ્યું કે તમે લોકસભા 2019માં કોના માટે કામ કરશો જેના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું કે "તમે વિશ્વાસ કરો કે નહીં પરંતુ મને પણ નથી ખબર કે હું 2019માં શું કરીશ." વધુમાં કહ્યું કે, "હું બસ તમને એટલું કહી શકું કે છેલ્લા 4-5 વર્ષથી જે રીતે હું પોલિટિકલ પાર્ટીઓ સાથે જોડાયેલો હતો તે રીતે કામ કરતો તમને નહીં જોવા મળું."
તાજેતરમાં જ પ્રશાંત કિશોરની એજન્સીએ એક સર્વે કર્યો હતો જેમાં સૌથી વધુ લોકોએ વર્ષ 2019માં પણ લોકો પીએમ તરીકે મોદીને જ પસંદ કરતા હોવાનું તારણ સામે આવ્યું હતું. આ સર્વે ઓનલાઈન કરવામાં આવ્યો હતો, જેમાં 50 લાખથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. જો કે બાદમાં પ્રશાંત કિશોરની એજન્સીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ સર્વે ઓનલાઈન થયો હોવાથી તે વિશ્વસનિય ન ગણી શકાય. આ પણ વાંચો- મોદીને ફરી પીએમ બનાવવા અમિત શાહને એક્સટેંશન, ભારત માતા, કમળ મૂળમંત્ર
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
