નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની સતત છ કલાક પુછપરછ, બુધવારે ફરી પુછપરછ થશે!
નેશનલ હેરાલ્ડ કેસમાં સતત છ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાને મુક્ત કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં સતત છ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાને મુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમર્થિત યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં સોનિયા ગાંધીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં આ પૂછપરછ કરી હતી.
ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સામે સોનિયા ગાંધીની આ બીજી રજૂઆત હતી. ED દ્વારા 18 જુલાઈના રોજ પ્રથમ પૂછપરછ કરવામાં આવી હતી. આ બંને દિવસોમાં ED અધિકારીઓએ સોનિયા ગાંધીની કુલ આઠ કલાક પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ તેમને કાલે ફરી સમન્સ પાઠવ્યુ છે.
કોંગ્રેસના
વચગાળાના
અધ્યક્ષ
સોનિયા
ગાંધી
મંગળવારે
સવારે
તેમના
પુત્ર
રાહુલ
ગાંધી
અને
પુત્રી
પ્રિયંકા
ગાંધી
વાડ્રા
સાથે
મધ્ય
દિલ્હીમાં
ED
ઓફિસ
પહોંચ્યા
હતા.
જ્યારે
રાહુલ
સંસદ
નજીક
વિજય
ચોક
ખાતે
કોંગ્રેસના
કાર્યકરોના
વિરોધ
પ્રદર્શનનું
નેતૃત્વ
કરવા
માટે
રવાના
થયા
હતા,
ત્યારે
પ્રિયંકા
એજન્સીની
ઓફિસમાં
જ
રોકાઈ
હતી.
બાદમાં રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવી સાથે દિલ્હી પોલીસે કેમેરા સામે ઝપાઝપી કરી હતી છે.