'યુપીમાં નવરાત્રિ બાદ મોદી કરશે ચુંટણીનો શંખનાદ, લખનઉમાં યોજાશે મહારેલી'
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તર પ્રદેશમાં ચુંટણીનો શંખનાદ કરવા માટે ઉત્સુક છે. સૂત્રોનું માનીએ તો નવરાત્રિ બાદ નરેન્દ્ર મોદીની ચુંટણી સભાઓ યોજાશે અને નરેન્દ્ર મોદી કુલ 9 રેલીઓને સંબોધિત કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની રેલીઓનો કાર્યક્રમ ભાજપ નવરાત્રિ બાદ નક્કી કરશે. નરેન્દ્ર મોદીની રેલીઓ માટે ઉત્તર પ્રદેશને આઠ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ બધા આઠ સ્થળો પર નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરશે. આ આઠ ઝોનમાં રેલી બાદ પાર્ટી લખનઉમાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કરશે જ્યાં નરેન્દ્ર મોદી મહારેલીને સંબોધિત કરશે.
દેશમાં
નરેન્દ્ર
મોદીની
વધતી
જતી
લોકપ્રિયતા
અને
તેમની
રેલીઓમાં
એકઠી
થતી
ભીડથી
ભાજપનો
ઉત્સાહ
વધી
રહ્યો
છે.
ભાજપ
સમજે
છે
કે
2014ની
લોકસભાની
ચુંટણીમાં
જો
તેને
સત્તામાં
પહોંચાડવી
છે
તો
તેને
સૌથી
મોટા
રાજ્ય
ઉત્તર
પ્રદેશમાં
સારી
એવી
સીટો
પ્રાપ્ત
કરવી
પડશે
ત્યારે
તે
કેન્દ્ર
પર
પોતાનો
દાવો
રજૂ
કરી
શકશે.
નરેન્દ્ર
મોદીને
વડાપ્રધાન
પદના
ઉમેદવાર
બનાવ્યા
બાદ
ભાજપના
કાર્યકર્તાઓમાં
જોરદાર
ઉત્સાહ
જોવા
મળી
રહ્યો
છે.
પાર્ટી
તેને
એક
મોટી
સકારાત્મક
વસ્તુ
માને
છે.