સ્વતંત્રતા દિવસઃ AIFએ કરી ખાસ તૈયારી, પીએમ મોદી તિરંગો લહેરાવતાં જ આકાશમાંથી ફૂલનો વરસાદ થશે
સ્વતંત્રતા દિવસઃ AIFએ કરી ખાસ તૈયારી, પીએમ મોદી તિરંગો લહેરાવતાં જ આકાશમાંથી ફૂલનો વરસાદ થશે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે. આ વર્ષે પહેલીવાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં પીએમ મોદી તિરંગો લહેરાવશે તે બાદ ભારતીય વાયુ સેનાના બે એમઆઈ-17 1વી હેલીકોપ્ટર દ્વારા કાર્યક્રમ સ્થળે ફૂલ વરસાવવામાં આવશે. સ્વતંત્રા દિવસ સમારોહ માટે સુરક્ષાના ચોક્કસ ઈંતેજામ કરી લેવામાં આવ્યા છે.

રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ઈતિહાસમાં પહેલીવાર આવું થવા જઈ રહ્યું છે જ્યારે પીએમ મોદી ઝંડો ફરકાવશે કે તરત જ લાલ કિલ્લા પર ફૂલોનો વરસાદ થશે. રક્ષા મંત્રાલય મુજબ આના માટે વાયુ સેનાના બે એમઆઈ-17 1વી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ એક શક્તિશાળી હેલિકોપ્ટર છે જે આધુનિકક એવિયોનિક્સ, ગ્લાસ કોકપિટ ઈન્સ્ટ્રૂમેંટેશન, અત્યાધુનિક નૌવહન ઉપકરણ, એવિયોનિક્સ, મોસમ રડારથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે 7 વાગ્યે પીએમ મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી 75મા સ્વતંત્રતા દિવસને ઉજવવામાં દેશનું નેતૃત્વ કરશે.
દિલ્હીમાં સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે, ખાસ કરીને લાલ કિલ્લાની આજુબાજુમાં પંખીડું પણ ઘૂસી શકે તેમ નથી. આ કાર્યક્રમમાં દિલ્હીના રેલવે સ્ટેશનો પર પણ સુરક્ષાદળ એલર્ટ મોડ પર છે. DCP રેલવે હરેંદ્ર કુમાર સિંહે જણાવ્યું કે, 'સ્વતંત્રતા દિવસના અવસર પર રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી દેવામાં આવી છે. કોઈપણ આતંકી ઘટના ના બને તેના માટે દિલ્હી પોલીસ સંપૂર્ણ સાવચેતી સાથે કામ કરી રહી છે. રેલવે યૂનિટના સુરક્ષાકર્મી પેટ્રોલિંગ કરી રહ્યા છે. દરેક ટ્રેન અને આવતી-જતી સવારીઓ પર બાજ નજર રાખખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની સાથે જ રેલવે સુરક્ષા બળ પણ તૈનાત છે. કમાંડો છે, ડોગ સ્ક્વોડ ટીમ છે, બોમ્બ ડિફ્યૂઝલ ટીમ પણ તૈનાત છે.'












Click it and Unblock the Notifications
