For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...જ્યાં સ્વતંત્રતા દિન 5 ઓગસ્ટે જ ઉજવી દેવાયો

|
Google Oneindia Gujarati News

pashupatinath-temple-mp
ઇન્દોર, 14 ઓગસ્ટ : સમગ્ર દેશ ગુરુવારે 15 ઓગસ્ટના રોજ પોતાનો 66મો સ્વાતંત્ર્ય દિન જોર શોરથી મનાવવા માટે તૈયારી કરી રહ્યો છે. પરંતુ મધ્યપ્રદેશના મંદસૌર સ્થિત પશુપતિનાથ મંદિરમાં આઝાદીનું આ પર્વ 10 દિવસ પહેલા જ ઉજવાઇ ચૂક્યું છે. જી, હા. આ મંદિરમાં ભારતનો સ્વતંત્રતા દિવસ 5 ઓગસ્ટ, 2013ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

આવું એટલા માટે થયું છે કે આ મંદિરમાં આઝાદીના આ ઉત્સવને હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ વદ ચોથના દિવસે ઉજવવાની પરંપરા છે. જેના કારણે તિથિ મુજબ મંદિરમાં આ પર્વ 10 દિવસ પહેલા જ ઉજવવામાં આવ્યું હતું.

આ અંગે પશુપતિનાથ મંદિરના પુજારી ઉમેશ જોશીએ જણાવ્યું કે "15 ઓગસ્ટ, 1947માં દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ વદ ચોથ હતી. આથી અમે છેલ્લા બે દાયકાથી મંદિરમાં આઝાદીના આ પર્વની ઉજવણી હિન્દુ પંચાગ અનુસાર તિથિ જોઇને પૂજા પાઠ કરીને ઉજવીએ છીએ."

ઇન્દોરથી અંદાજે 225 કિલોમીટર દૂર શિવના નદીના કિનારે આવેલા પશુપતિનાથ મંદિરમાં અષ્ટમુખી શિવલિંગની પરંપરાગત રીતે અભિશેક કરીને પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત દૂર્વા પણ ચઢાવવામાં આવી હતી.

English summary
Independence Day celebrated on 5 August here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X