ડેલીહન્ટ "ટ્રસ્ટ ઑફ ધી નેશન" સર્વેનું પરિણામ
ડેલીહન્ટ, ભારતના સૌથી મોટા ડિજિટલ રાજકીય સર્વેક્ષણ માટે નીલસન ઇન્ડિયા સાથે ભાગીદાર: 50 લાખથી વધુ જવાબો સાથે "ટ્રસ્ટ ઓફ ધ નેશન"
નવી દિલ્હી. સમાચાર અને સ્થાનિક ભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવતી ભારતની નંબર 1 એપ્લિકેશન ડેલીહંટે આજે પોતાનો પ્રતિષ્ઠિત સર્વે "ટ્રસ્ટ ઓફ ધી નેશન"ના પરિણામો જાહેરાત કર્યાં છે. આ સર્વે ડેલીહન્ટ અને નેલ્સન ઈન્ડિયાના સહયારા પ્રયત્નોથી શેર કરવામાં આવ્યો છે. આ સર્વેનું સૌથી સારું વર્ણન દેશના સૌથી મોટા અને સૌથી નિર્ણાયક તથા સ્વતંત્ર રાજકીય ડિજિટલ તરીકે કરવામાં કરવામાં આવ્યું છે, જેમાં ભારત અને વિદેશમાં રહેતા લોકો સહિત કુલ 54 લાખથી વધુ લોકોએ ભાગ લીધો.
આ સર્વેક્ષણમાં ભારતના કુલ મતદારો આવરી લેવામાં આવ્યા છે, એટલે કે ભારતના પ્રથમ વખત નોંધાયેલા મતદારોની સક્રિય સહભાગિતા સાથેના મુખ્ય મેટ્રો શહેરો સહીત નાના ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે.
પોલની કાર્ય પ્રણાલી
ડેલીહન્ટ અને નીલસેન ઇન્ડિયાએ સંયુક્ત રીતે સર્વે કરાવ્યો હતો, જે ડેલીહન્ટના પ્લેટફોર્મ્સ પર હોસ્ટ કરવામાં આવ્યો છે અને તેને અંગ્રેજી, હિન્દી, તેલુગુ, કન્નડા, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, તમિલ, મલયાલમ અને ઉડિયા જેવી 10 ભાષાઓમાં ચલાવવામાં આવ્યો હતો.
ડેલીહન્ટે ડેટા એકત્રિત કર્યા અને નીલસનના API દ્વારા તેને નિલ્સનને મોકલ્યા.
નીલ્સન ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત એવા માપદંડો અને ધોરણો દ્વારા ડેટાને સંકલિત કર્યા જે આવા સર્વેક્ષણ પર લાગુ થતા હોય.
મત આપનાર લોકો અલગ અલગ વય ગ્રુપ (18-24, 25-34 અને 35+ વર્ષ) અને જાતિના હતા. "ટ્રસ્ટ ઓફ ધ નેશન" દ્વારા 10 વિવિધ સવાલોના જવાબ આપવા અનુરોધ કર્યો હતો..
હાઈલાઈટ્સ | ડેલીહન્ટ ટ્રસ્ટ ઓફ ધ નેશન સર્વે
63% મતદાતાઓએ નરેન્દ્ર મોદી પર વર્ષ 2014 લોકસભા ચૂંટણીની સરખામણીએ વધુ વિશ્વાસ દર્શાવ્યો છે, અે પાછલા ચાર વર્ષમાં તેમના નેતૃત્વ ક્ષમતાઓથી પણ સંતુષ્ટી વ્યક્ત કરી છે. 50%થી વધુ ઉત્તરદાતાઓ માને છે કે નરેન્દ્ર મોદીની બીજી ટર્મ તેમને સારું ભવિષ્ય ઉપલબ્ધ કરાવશે.
ફોનના ઉપયોગને આવકના સંકેત રૂપે માનીએ તો, 90% ઉત્તરદાતાઓ નીચા અને મધ્ય રેન્જવાળા ફોનના વપરાશકર્તાઓ છે, જેઓ નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવ્યા છે. જ્યારે હાઈ-એન્ડ ફોનના વપરાશકર્તાઓમાં આનાથી વિપરીત સ્થિતિ જોવા મળી છે. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ટ્રસ્ટ અને 'વિશ્વાસ' પરિબળોનું કાળજીપૂર્વક વિશ્લેષણ નીચે આપેલી રસપ્રદ ઇનસાઇટ્સ દ્વારા મેળવી શકાય છે:
આવનારા 5 રાજ્યોની ચૂંટણી વિશે વાત કરવામાં આવે તો,
60% ઉત્તરદાતાઓ ભ્રષ્ટાચારના લાંબાગાળાના મુદ્દાને દૂર કરવા માટે નરેન્દ્ર મોદી પર સૌથી વધુ ભરોસો કરે છે. રસપ્રદ વાત એ છે કે, આપ રાષ્ટ્રીય કન્વીનર, અરવિંદ કેજરીવાલને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કરતા પણ વધારે પ્રાધાન્ય મળ્યું.
62% ઉત્તરદાતાઓને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ છે, ત્યારબાદ રાહુલ ગાંધી, (17%), અરવિંદ કેજરીવાલ, (8%), અખિલેશ યાદવ, (3%) અને માયાવતી (2%) .
દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ, 'ભારત બિયોન્ડ ઇન્ડિયા' સૌથી નિર્ણાયક સ્વતંત્ર રાજકીય ડિજિટલ સર્વેમાં ડેલીહન્ટ પ્રેસિડેન્ટ ઉમંગ બેદીએ જણાવ્યું કે "ટ્રસ્ટ ઓફ ધી નેશન" સર્વે વાસ્તવિક ભારતના લોકોને સક્ષમ કરવા માટે એક યોગ્ય મંચ પર તેમના અવાજને મોટી સંખ્યામાં શેર કરવા માટે છે. અમે વર્તમાન ભારતીય સેન્ટિમેન્ટમાં ખૂબ જ સાહજિક પલ્સ પ્રદાન કરીએ છીએ તે ડેટાના વસ્તી વિષયક, સામાજિક, સ્થાન, રાજ્ય અને ભાષાના વિશિષ્ટ કટ સાથે સમૃદ્ધ, ઊંડા અને અર્થપૂર્ણ ડેટા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. 'ટ્રસ્ટ ઓફ ધ નેશન'નો વિચાર ડેલીહન્ટના મિશન સાથે 'એક ઇન્ડિક પ્લેટફોર્મ' બનવા માટે માહિતીને સમૃદ્ધ કરે છે. અમે આ સર્વે માટે રિસર્ચ સાયન્સ પાર્ટનર નીલ્સન ઇન્ડિયાના ખૂબ આભારી છીએ. "
નીલ્સન ગ્લોબલ મેઝરમેન્ટ અને ડેટા એનાલિટિક્સ કંપની છે જે વિશ્વભરના ગ્રાહકો અને બજારોમાં ઉપલબ્ધ સૌથી સંપૂર્ણ અને વિશ્વસનીય વ્યૂ આપે છે. અમે આ સર્વેક્ષણનો ભાગ બનવા બદલ ખુશી અનુભવીએ છીએ, જ્યાં અમે અમારી ગોલ્ડ સ્ટાન્ડર્ડ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને તારણો પર પહોંચવા માટે ડેલીહન્ટ પ્લેટફોર્મ્સમાંથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, "નીલસન - દક્ષિણ એશિયાના પ્રમુખ પ્રસુન બસુએ જણાવ્યું હતું.