India Covid Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,79,723 નવા કેસ નોંધાયા, 146 લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. 10 જાન્યુઆરીએ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે.
India Covid Update : ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. 10 જાન્યુઆરીએ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે. આવા સમયે છેલ્લા 24 કલાકમાં 46,569 લોકો સ્વસ્થ થયા છે. આ દરમિયાન એક દિવસમાં કોવિડ 19થી 146 લોકોના મોત થયા છે. દેશમાં કોવિડ 19ના એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 23 હજાર 619 છે.
કોરોનાને કારણે દેશમાં 4.83 લાખ લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 936 લોકોના મોત થયા છે. કોવિડ 19ના કુલ કેસ 3,57,07,727 છે. આવા સમયે કુલ રિકવરી કેસ3,45,00,172 છે. દેશમાં રસીકરણની કુલ સંખ્યા 1,51,94,05,951 છે.
દેશમાં કોરોના વાયરસનો દૈનિક સકારાત્મક દર (ડેઇલી પોઝિટિવ રેટ) હવે 13.29 ટકા છે. તે જસમયે સાપ્તાહિક સકારાત્મક દર (વિકલી પોઝિટિવિટ રેટ) 7.92 ટકા છે.
દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4 હજાર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 4 હજાર 33 થઈ ગઈ છે. ઓમિક્રોનના 4,033 કેસમાંથી 1,552 લોકો સાજા થયા છે.
તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 1216 કેસ છે.રાજસ્થાનમાં ઓમિક્રોનના 529 કેસ છે.
છેલ્લા 24 કલાકમાં 13.52 લાખ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 09 જાન્યુઆરીએ કોરોના વાયરસ માટે 13,52,717 સેમ્પલ ટેસ્ટકરવામાં આવ્યા છે. તે જ સમયે દેશમાં કોવિડ 19 માટે અત્યાર સુધીમાં કુલ 69,15,75,352 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.