India Covid Update : 24 કલાકમાં 15102 નવા કેસ અને 278 લોકોના મોત
કોરોનાની ત્રીજી લહેરનો અંત આવી ગયો છે. સમગ્ર દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 15102 નવા દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે સાજા થયેલા લોકોની સંખ્યા તેનાથી બમણી હતી.
India Covid Update : કોરોનાની ત્રીજી લહેરનો અંત આવી ગયો છે. સમગ્ર દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 15102 નવા દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે સાજા થયેલા લોકોની સંખ્યા તેનાથી બમણી હતી. મંગળવારના રોજ 31,377 રિકવરી થઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મોટાભાગે રાહતના છે.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,21,89,887 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે, કોવિડ રસીકરણનો આંકડો 1,76,19,39,020 પરપહોંચી ગયો છે.
મંગળવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 33,84,744 ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 278 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,12,622 છે.

સાજા થનારા લોકોની સંખ્યા ઝડપથી વધી
સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 278 કોરોના દર્દીઓના મોત થયા છે. જો કે, જીવ ગુમાવનારા લોકો કરતા સાજા થયેલા લોકોનીસંખ્યા ઘણી વધારે છે.
આને ધ્યાનમાં રાખીને સરકાર કોવિડ-પ્રતિબંધોમાં ઘટાડો કરી રહી છે. અહેવાલ છે કે મધ્યપ્રદેશ રાજ્યમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ પ્રતિબંધો ઘટાડવામાં આવ્યા છે. જો કે, અત્યારે જાહેર સ્થળે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી રહેશે.

કોરોનાના આંકડા પર એક નજર
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,28,67,031 કેસ નોંધાયા છે. જેમાંથી 1,64,522 એક્ટિવ કેસ છે. તે જ સમયે, કોરોના ટેસ્ટનો આંકડો 76,23,09,362 છે.
જેમાંથીદરરોજ 11,83,744 ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેના કારણે ગત દિવસની સરખામણીએ આ સંખ્યામાં 99191નો વધારો થયો છે.
- કુલ કેસ - 42,865,706
- કુલ રિકવરી - 42,179,578
- કુલ સક્રિય કેસ - 155,576
- કુલ મૃત્યુ - 512,331












Click it and Unblock the Notifications
