For Quick Alerts
For Daily Alerts
દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવે ભારત, ઇરાનઃ રાષ્ટ્રપતિ
મુખર્જીએ કહ્યું, 'અમે વ્યાપાર અને આર્થિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અને લોકો વચ્ચે થતા ક્ષેત્રમાં સંપર્ક વધારવા માટે કામ કરવા માંગીએ છીએ.' તેમણે કહ્યું કે ઇરાન આજે પણ ભારતને કાચું તેલ નિર્યાત કરનાર મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને ભારતીય બજાર ઇરાની નિર્યાત માટે ખુલ્લા છે. ભારતને આશા છે કે ઇરાન પોતાના દેશથી અધિક વસ્તુઓ નિર્યાત કરશે.
મુખર્જીએ કહ્યું કે, આતંકવાદ, ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, જલવાયુ પરિવર્તન, પર્યાવરણ અને પ્રાકૃતિક વિપત્તિઓ સામે લડવું એ બન્ને દેશો માટે પ્રમુખ પડકાર છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પર દબાણ આપતા તેમણે કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે.
Comments
English summary
India and Iran must work together to further promote trade and economic links, increased people to people contacts between them and within the region, President Pranab Mukherjee has said.