હવે સમુદ્રમાં વાગશે ભારતનો ડંકો, લોન્ચ કરી ચોથી પરમાણુ સબમરિન
how many nuclear missile submarine india have: ભારત દ્વારા પોતાની ચોથી પરમાણુ સબમરીન લોન્ચ કરવામાં આવી છે. આનાથી ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે. હવે સમુદ્રમાં ભારતીય નૌસેનાની તાકાત વધુ મજબૂત બની છે.
ભારતે તેના વિરોધીઓ સામે તેના પરમાણુ પ્રતિરોધને મજબૂત કરવા માટે વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટર (SBC) ખાતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ (SSBN) સબમરીન લોન્ચ કરી છે.
16 ઓક્ટોબરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટરમાં લોન્ચ કર્યું હતું. તેનો 75 ટકા માલ ભારતમાં જ બનેલો છે. તેનું કોડ નેમ S4 છે.
એસ ફોર સબમરીન 3500 કિલોમીટરની રેન્જ સાથે ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલથી સજ્જ છે.
નેવીની S4 સબમરીન 3,500 કિમીની રેન્જ સાથે K-4 પરમાણુ બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ છે. જેને વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ દ્વારા ફાયર કરી શકાય છે.

જ્યારે INS અરિહંત, તેના ક્લાસનો પ્રથમ, 750 કિમીની રેન્જ સાથે K-15 પરમાણુ મિસાઈલ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, INS અરિહંત અને INS અરિઘાટ બંને પહેલાથી જ ઊંડા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા આયોજકોએ ભારતની પ્રથમ પરમાણુ સબમરીન INS ચક્રને S1, INS અરિહંતને S2, INS અરિઘાટને S3, INS અરિધમાનને S4 નામ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તેના વર્ગની છેલ્લી સબમરીન S4 છે, જેનું નામ ઔપચારિક રીતે જાહેર કરવાનું બાકી છે.
કેન્દ્ર સરકાર ચીન જેવા શક્તિશાળી વિરોધીઓ સામે સબમરીન પર વિશેષ ધ્યાન આપી રહી છે.
આ કારણે જ ભારત સરકારે ભારતીય નૌકાદળ માટે ત્રીજા એરક્રાફ્ટ કેરિયર પર પરમાણુ હુમલો અને બેલિસ્ટિક મિસાઈલ સબમરીનને પ્રાથમિકતા આપી છે.
ભારત સરકારે પરંપરાગત સબમરીન ક્ષમતામાં પણ વધારો કર્યો છે અને આ વર્ષે ડિસેમ્બરમાં કલવરી વર્ગની સબમરીન INS વાગશીર કાર્યરત થઈ છે.
Indian Navy’s fourth stealth Scorpene class Submarine Vela of Project 75 has been launched today at the Mazagon Dock Limited (MDL) in Mumbai. pic.twitter.com/FfMoiJrYDg
— ANI (@ANI) May 6, 2019












Click it and Unblock the Notifications
