ખતરનાક આતંકી સંગઠન ISIS ભારતમાં લોહીની નદીઓ વહેડાવી શકે છે: IB
ભારતના ગુપ્તચર વિભાગે જાહેર જનતાને ચેતવણી આપી છે કે દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ભારતના મુખ્ય શહેરો પર કોઇ મોટો આતંકી હુમલો કરી શકે છે. આ સૂચના મળ્યા બાદ ગૃહ મંત્રાલયે પણ એલર્ટ જાહેર કરી તમામ રાજ્યોની પોલિસને સચેત રહેવાની સલાહ આપી છે.
આઇબીનું કહેવું છે કે ISIS ભારતના પડોશી રાજ્યો સુધી પહોંચી ગયું છે. અને ભારતમાં પણ આ સંગઠનના અનેક એન્જટો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એવામાં દેશના મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકત્તા, પુણે, ચેન્નઇને આ સંગઠન પોતાનો નિશાનો બનાવી શકે છે.
વધુમાં ગુપ્તચર વિભાગે કહ્યું કે તુર્કીમાં સ્થિત ભારતીય નાગરિકોને પણ ISIS પોતાના નિશાનો બનાવી શકે છે. અને ત્યાં પણ ભારતના વિદેશ મંત્રાલયને જાણકારી આપી સુરક્ષા વધારવામાં આવી છે.
વળીમાં, તેવું જરૂરી નથી કે ISISના આતંકી પોતે ભારત પર હુમલો કરવા આવે. બની શકે કે તે ઇન્ડિયન મુજાહિદ્દીન, સિમી, લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોની મદદ લઇને ભારત પર કોઇ મોટો હુમલો કરે. વધુમાં ISIS આ માટે ભારે માત્રામાં ધન એકત્રિત કરી રહી છે. અને તે ધનનો ઉપયોગ તે ભારતની આસપાસ અને ભારતમાં આવેલા સક્રિય સંગઠનોને ખરીદવા માટે કરી રહી છે.
ત્યારે ISIS વિષે કેટલીક અન્ય ચોંકાવનારી માહિતીઓ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ISIS
17 વર્ષની એક યુવતીએ પોતાના જીવનના 9 મહીના જે રીતે કાઢ્યા છે તેની કલ્પના માત્ર મોત કરતા પણ વધારે ભયાનક હશે. ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કેદમાંથી છૂટીને આવેલી 17 વર્ષની યજીદી યુવતીએ જ્યારે પોતાની આપવીતી સંભળાવી તો રૂંવાડા ઊભા થઇ ગયા.
તસવીરોમાં જુઓ ISISની ક્રૂરતા, 40 આતંકીઓ કરતા હતા બળાત્કાર

ISIS

ISIS

ISIS

ISIS

ISIS













Click it and Unblock the Notifications
