આઝાદી બાદ ભારતની 75 વર્ષની સફર, જાણો શું મેળવ્યું અને શું ગુમાવ્યું?
સાડા સાત દાયકામાં ભારતે કેટલાક પડકારોનો અદભૂત રીતે સામનો કરીને વિશ્વમાં તેની પ્રાચીન પ્રતિષ્ઠા પરત મેળવી છે, જ્યારે કોરોના જેવા કેટલાક પડકારો પણ આપણી સામે ઉભા થયા છે.
નવી દિલ્હી : સાડા સાત દાયકામાં ભારતે કેટલાક પડકારોનો અદભૂત રીતે સામનો કરીને વિશ્વમાં તેની પ્રાચીન પ્રતિષ્ઠા પરત મેળવી છે, જ્યારે કોરોના જેવા કેટલાક પડકારો પણ આપણી સામે ઉભા થયા છે. તેમાં કોઈ શંકા નથી કે, આજે વિશ્વ ભારતને ધ્યાનથી સાંભળે તેટલુ મજબુત થયું છે, તેથી આવા ઘણા ક્ષેત્રો છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે મોટા અવરોધ બનીને રહ્યા છે. અમે અહીં કેટલાક આંકડા રજૂ કરી રહ્યા છીએ, જે બદલાયેલા ભારતની ઝલક આપી શકે છે, તેમજ જે ખામીઓ રહી છે, તેને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

સૌથી મોટો પડકાર વસ્તી વિસ્ફોટ
આઝાદી બાદ 74 વર્ષમાં ભારત સમક્ષ સૌથી મુશ્કેલ પડકારોની વાત કરીએ તો વધતી જતી વસ્તી એક મોટો અવરોધ બની ગયો છે. કારણ કે, વર્ષ 1947માં ભારતની વસ્તી આશરે 37.6 કરોડ હતી, જે હવે વધીને 139.3 કરોડ થઇ ગઇ છે. આગામી વર્ષોમાં આપણે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ બનવાની આરે છીએ. વસ્તીના વાસ્તવિક આંકડાઓ વર્ષ 2021માં વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ જ જાહેર થશે. 10 વર્ષ પહેલા એટલે કે, 2011ની વસ્તી ગણતરીમાં ભારતની વસ્તી 121 કરોડથી વધુ હતી. જો કે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UIDAI એ ડિસેમ્બર, 2020 સુધીમાં દેશની વસ્તી 137 કરોડ હોવાનો અંદાજ લગાવ્યો હતો.

ભારતને ગરીબી સામે લાંબો સંઘર્ષ કરવો પડશે
વધતી વસ્તીની જેમ ગરીબી પણ દેશ માટે એક પડકાર છે. ઉદાહરણ તરીકે આઝાદી સમયે દેશની 80 ટકા વસ્તી એટલે કે, લગભગ 250 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. જ્યારે 2011-12ના આંકડાઓના આધારે દેશમાં 269 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. જે સંબંધિત સમયની વસ્તીના લગભગ 22 ટકા છે. એટલે કે તુલનાત્મક રીતે આંકડામાં સુધારો થયો છે, પરંતુ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરનારા દેશ માટે આ ચોક્કસપણે ચિંતાજનક બાબત છે.

હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયો સુધારો
આજે જ્યારે દેશ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વસ્તી અને ગરીબીમાં અનપેક્ષિત વધારો સિવાય તેનાથી સંબંધિત અનેક પાસાઓ પર આશાનું નવું કિરણ પણ દેખાય છે. ઉદાહરણ તરીકે આઝાદી સમયે દેશમાં સ્ત્રી દીઠ ટોટલ ફર્ટિલિટી રેટ 5.9 હતો, જે આજે ઘટીને 2.1 પર આવી ગયો છે. એટલે કે દેશ ચોક્કસપણે વસ્તી વૃદ્ધિની ગતિ પર બ્રેક લગાવવામાં સફળ રહ્યો છે.

આ દરમિયાન ભારતે બીજા ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. 74 વર્ષ પહેલા દેશમાં શિશુ મૃત્યુ દર (બાળ મૃત્યુ દર : મૃત્યુ/1000) 181 હતો, જે હવે ઘટીને 26.6 પર આવી ગયો છે. આઝાદી સમયે દેશની વસ્તીની સરેરાશ ઉંમર માત્ર 37 વર્ષ હતી, જે આજે વધીને 70.4 વર્ષ થઈ ગઈ છે. એનું કારણ એ છે કે, વર્ષ 1947માં દેશ પાસે માત્ર 2,014 સરકારી હોસ્પિટલ હતી, જે આજે વધીને 23,000થી વધુ થઈ ગઈ છે. મેડિકલ કોલેજ પણ 30થી વધીને 541 થઈ ગઈ છે અને ડોક્ટર્સની સંખ્યા પણ 12 લાખથી છે. જોકે, આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હજુ આમાં ઘણો વધારો કરવાનો બાકી છે.

સાક્ષરતા દરમાં સુધારો થયો, પરંતુ સેક્સ રેસિયો ઘટ્યો
ભારતે છેલ્લા 74 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે હજૂ ઘણા માઈલ દૂર જવાનું છે. ઉદાહરણ તરીકે, સેક્સ રેસિયોમાં ભારતની સ્થિતિ સુધરી નથી, પણ વધુ ખરાબ થઈ છે. 1951ની વસ્તી ગણતરી મુજબ, દેશની વસ્તીમાં 1000 પુરુષોની સામે 946 મહિલાઓ હતી, જે હવે ઘટીને 934 થઈ ગઈ છે. આ કારણે ભારત સરકારે બેટી બચાવો બેટી પઢાવો જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવી પડી હતી. તેની સારી અસર હરિયાણા જેવા રાજ્યોમાં જોવા મળી છે. સાક્ષરતાના ક્ષેત્રમાં દેશે ક્વાન્ટમ લીપ કરી છે. વર્ષ 1947ની આસપાસ, દેશમાં સાક્ષરતા દર લગભગ 18.3 ટકા હતો, જે આજે વધીને 77.7 ટકા થયો છે.

સામાન્ય માણસની આવકમાં થયો અનેકગણો વધારો
દેશે અર્થતંત્રના ક્ષેત્રમાં ખૂબ જ ઉંચી છલાંગ લગાવી છે. એક અંદાજ મુજબ જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે દેશની GDP માત્ર 37 અબજ યુએસ ડોલર હતી, પરંતુ આજે તે 2,623 અબજ યુએસ ડોલર થઈ ગઈ છે. વર્તમાન કિંમતો પર માથાદીઠ આવક વર્ષ 1947માં માત્ર વાર્ષિક 274 રૂપિયા હતી, જે હાલમાં 1,26,968 રૂપિયા છે. આઝાદીના સમયે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે કૃષિ પર નિર્ભર હતી અને કૃષિ ક્ષેત્રનો હિસ્સો 53.7 ટકા હતો. જે આજે માત્ર 18.8 ટકા છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્ર 14.4 ટકાથી વધીને 26.9 ટકા અને સેવા ક્ષેત્ર 31.9 ટકાથી વધીને 54.3 ટકા થયું છે. GDPમાં વેપારનો હિસ્સો તે સમયે 11.3 ટકા હતો અને આજે તે વધીને 36.5 ટકા થયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
