ભારતનું પ્રથમ માર્ગ સલામતી-ટ્રાફિક સંશોધન કેન્દ્ર પંજાબમાં શરૂ, AAP નેતાઓએ જતાવી ખુશી
રોડ સેફ્ટીને લઈને દેશનું પ્રથમ રોડ સેફ્ટી અને ટ્રાફિક રિસર્ચ સેન્ટર મોહાલીમાં શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ડ્રોન સર્વે, ક્રેશ ઇન્વેસ્ટિગેશન, રોડ એન્જિનિયરિંગ, અકસ્માત પુનઃન
રોડ સેફ્ટીને લઈને દેશનું પ્રથમ રોડ સેફ્ટી અને ટ્રાફિક રિસર્ચ સેન્ટર મોહાલીમાં શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ડ્રોન સર્વે, ક્રેશ ઇન્વેસ્ટિગેશન, રોડ એન્જિનિયરિંગ, અકસ્માત પુનઃનિર્માણ અને અન્ય અદ્યતન તકનીકી સુવિધાઓથી સજ્જ છે.

એક અધિકારીએ જણાવ્યું કે આ કેન્દ્રમાં ઓટોમોટિવ સિક્યોરિટી, ઇન્ક્યુબેશન હબ, સેમિનાર હોલ વગેરેની પણ સ્થાપના કરવામાં આવી છે. 2 કરોડના ખર્ચે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તે તેના પ્રકારનું પ્રથમ સંશોધન કેન્દ્ર છે. આ કેન્દ્ર ટ્રાફિક સંબંધિત ભવિષ્યના પડકારોને પહોંચી વળવા સક્ષમ છે.
શાસક પક્ષ આમ આદમી પાર્ટીના નેતાઓ પંજાબમાં દેશના પ્રથમ માર્ગ સુરક્ષા અને ટ્રાફિક સંશોધન કેન્દ્રની શરૂઆત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આગેવાનોનું કહેવું છે કે તેમની સરકારમાં વિકાસના કામોને વેગ મળ્યો છે.












Click it and Unblock the Notifications
