India Today exit poll : ત્રિપુરામાં ફરીથી બીજેપીની સરકાર, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ?
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં દાવો કરાયો છે કે, ભાજપ આ વખતે રાજ્યમાં વધુ બેઠકો જીતીને સત્તા જાળવી રાખવામાં સફળ થઈ શકે છે. એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ભાજપને 45 ટકા વોટ શેર મળવાની ધારણા છે.
નવી દિલ્હી : દેશના પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. આ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં ત્રિપુરામાં ફરી એકવાર ભાજપની સરકાર દેખાઈ રહી છે.

ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ત્રિપુરાની 60 બેઠકોમાં ભાજપ અને તેના સાથી પક્ષોને 36 થી 45 બેઠકો મળી શકે છે. આ સિવાય લેફ્ટ અને તેના સાથી પક્ષોને 6 થી 11 બેઠકો મળવાનો અંદાજ છે. TMPના ખાતામાં 9-16 બેઠકો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2018માં ભાજપે અહીં 35 બેઠકો જીતી હતી.
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં દાવો કરાયો છે કે, ભાજપ આ વખતે રાજ્યમાં વધુ બેઠકો જીતીને સત્તા જાળવી રાખવામાં સફળ થઈ શકે છે. એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ભાજપને 45 ટકા વોટ શેર મળવાની ધારણા છે. જ્યારે લેફ્ટ અને કોંગ્રેસને 32 ટકા, ટીએમપીને 20 ટકા અને અન્યને લગભગ 3 ટકા મત મળવાની ધારણા છે.
પોલમાં 27 ટકા લોકો બીજેપીના વર્તમાન સીએમ માણિક સરકારને ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 14 ટકા લોકો સીપીએમ નેતા જિતેન્દ્ર ચૌધરીને સીએમ તરીકે જોવા માંગે છે. આ સિવાય 14 ટકા લોકો ભાજપના કોઈપણ નેતાને મુખ્યમંત્રી તરીકે સ્વીકારે છે. નવી પાર્ટી ટીએમપીના પ્રદ્યોત દેબ બર્માને 11 ટકા લોકો સીએમ તરીકે સ્વીકારે છે.
મતની ટકાવારીની વાત કરીએ તો, લેફ્ટ-કોંગ્રેસને STના 18 ટકા, SCના 36 ટકા, OBCના 35 ટકા અને જનરલ કેટેગરીના 34 ટકા વોટ મળી શકે છે. ટીએમપીને 51 ટકા એસટી, 3 ટકા એસસી, 2 ટકા ઓબીસી અને 2 ટકા જનરલ વોટ મળી શકે છે.












Click it and Unblock the Notifications
