જમ્મુ-કાશ્મીરઃ હિઝબુલ મુજાહિદીનના ટેરર મોડ્યુલનો ભાંડાફોડ, 3 આતંકી પકડાયા
જમ્મુ-કાશ્મીરઃ હિઝબુલ મુજાહિદીનના ટેરર મોડ્યુલનો ભાંડાફોડ, 3 આતંકી પકડાયા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને આતંકવાદીઓના ટેરર મૉડ્યૂલનો ભાંડાફોડ કરવામાં મોટી સફળતા હાંસલ થઇ છે. બડગામ પોલીસ, ભારતીય સેનાની રાષ્ટ્રીય રાયફલની 53મી બટાલિયન અને સીઆરપીએફની 181મી બટાલિયને હિજબુલ મુજાહિદીનના ટેરર મૉડ્યૂઅલનો ભાંડાફોડ કર્યો છે. સુરક્ષાકર્મીઓએ 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. સુરક્ષાકર્મીઓને પખેરપોડા વિસ્તારમાં આ આતંકવાદીઓ પાસેથી એકે-47ના 20 લાઇવ રાઉન્ડ, ડેટોનેટર અને 15 પોસ્ટર મળી આવ્યા છે.

સોમવારે આતંકી સંગઠન લશ્કરને સુરક્ષાબળોએ તગડો ઝાટકો આપ્યો હતો, જ્યાં તેના ફંડિંગ મોડ્યૂલનો ભાંડાફોડ થયો. આ દરમિયાન એક આતંકવાદી પકડાયો. જનાથી કેટલીય મહત્વની જાણકારી મળવાની ઉમ્મીદ છે. આતંકી લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો. તેની પાસેથી કેટલીક રોકડ પણ જપ્ત થઇ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ એસઓજી અને સેના કેટલાય દિવસોથી લશ્કરના આતંકીઓ પર નજર બનાવીને બેઠા હતા. આ દરમિયાન તેમને લશ્કરના ફંડિંગ મોડ્યૂલ સાથે જોડાયેલી મહત્વની જાણકારી મળી. જેના પર કાર્યવાહી કરતાં તેમણે જમ્મુથી એક આતંકીની ધરપકડ કરી. તેની પાસેથી એક ટિફિન પણ જપ્ત થયું છે. જેમા પૈસા ભર્યા હતા.
આ મામલે જમ્મુના પીર મીઠા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધવામાં આવ્યો છે. સાથે જ આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ મુજબ આ મોડ્યુલ જમ્મુમાં આતંકવાદી ગતિવિધિઓને લઇ ઘણું સક્રિય હતું.
રવિવારે સુરક્ષાબળોને એક મોટી સફળતા હાથ લાગી હતી. એ દરમિયાન કાશ્મીરના શોપિયા જિલ્લામાં ત્રણ આતંકીને ઠાર મારવામા આવ્યા હતા. આ એન્કાઉન્ટર અમ્શીપોરા વિસ્તારમાં થયું હતું. મૃત આતંકવાદીઓ પાસેથી ત્રણ એકે-47 રાઇફલ અને અન્ય સમાન જપ્ત કરવામાં આવ્યો છે, જો કે સેના તરફથી આ આતંકવાદીઓની ઓળખ ઉજાગર કરવામાં નથી આવી. અગાઉ શુક્રવારે જૈશ એ મોહમ્મદના ટૉપ કમાંડર અને આઈઈડી એક્સપર્ટ લીદ સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
