ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસી 3 આતંકવાદી કેમ્પ ફૂંક્યા, 20 આતંકીઓ ઠાર?
જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સેનાના વડામથક પર થયેલા આતંકવાદી હુમલાનો ભારતે બદલો લઇ લીધો છે. "ધ ક્વિન્ટ"માં પ્રકાશિત ખબર મુજબ ભારતે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. જે મુજબ ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ધૂસી જઇને આતંકી કેમ્પનો ખાતમો બોલાવ્યો છે.
સ્પેશિયલ ફોર્સની બે યૂનિટોએ ઉરી સેક્ટર સાથે અડીને આવેલા પીઓકે સ્થિત 3 આતંકવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. આ કાર્યવાહીમાં લગભગ 20 આતંકવાદી માર્યા ગયા હતા. જ્યારે 200 ઘવાયા છે. ભારતીય સેના અંગેની આ માહિતી ધ ક્વિન્ટ ને આપી છે પણ આ અંગે તે ફરીથી તેમના સુત્રોથી પૃષ્ઠિ કરી રહ્યા છે.

બીજી તરફ ઉરી હુમલા બાદ ભારત તરફથી પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બીએસેફએ પણ ભારત-પાક સરહદ પર ચોકસી વધારી દીધી છે. દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ જે હવા ચાલી રહી છે અને જે તેના પરિણામો મળી રહ્યા છે તેને જોઈને લાગે છે કે હવે બીજી વાર પાકિસ્તાન કઈ પણ પગલું લેતા પહેલા 100 વાર વિચાર ચોક્કસ કરશે.












Click it and Unblock the Notifications
