સંસદમાં હંગામો, પાક વિરુદ્દ નિંદા પ્રસ્તાવની માંગ

નોંધનીય છે કે આ પ્રસ્તાવ સત્તારૂઢ પીએમએલ એનના વરિષ્ઠ નેતા અને વિજ્ઞાન તથા ટેક્નોલોજીના મંત્રી જાહિદ હામિદે રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં ભારત સાથે સારા સંબંધો માટે રચનાત્મક પગલાં ઉઠાવવા અને નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામ સુનિશ્ચિત કરવાને લઇને નવાજ શરીફ તરફથી વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છેકે પાકિસ્તાન પાડોશી દેશ સાથે શાંતિ પ્રક્રિયા રાબેતા મુજબ રાખવા માટે પ્રતિબદ્ધ જરૂર છે, પરંતુ પોતાની સંપ્રભુતા, સીમાઓ અને રાષ્ટ્રિય હિતોની રક્ષા પ્રત્યે પણ અડગ છે. નીચલા સદનમાં પ્રસ્તાવને આમ સહમતિ સાથે પારિત કરી દેવામાં આવ્યો.
નીચલી સદને નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત પર હુમલો, પીઆઇ ઓફિસ બહાર પ્રદર્શનો અને પાકિસ્તાન આવી રહેલી બસને રોકવામાં આવેલા પ્રયત્નોની પણ ટીકા કરવામાં આવી. નેશનલ એસેમ્બલીએ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મિરીઓને રાજકિય અને નૈતિક સમર્થન ચાલું રાખશે.












Click it and Unblock the Notifications
