ઈંદોરમાં 2 માળની ઈમારતમાં લાગી આગ, 7 લોકો જીવતા ભૂંજાયા, 9ને બચાવાયા
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈંદોરમાં એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ છે. અહીં મોડી રાતે બે માળની ઈમારતમાં આગ લાગી ગઈ છે.
ઈંદોરઃ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈંદોરમાં એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ છે. અહીં મોડી રાતે બે માળની ઈમારતમાં આગ લાગી ગઈ છે. જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલા શામેલ છે. દૂર્ઘટના સમયે બધા સૂતા હતા. આગે ઝડપથી વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ. ઉંઘ ખુલે અને લોકો કંઈ સમજે એ પહેલા જ અમુક લોકો દાઝી ગયા અને અમુકનો શ્વાસ રુંધાઈ ગયો.

2 માળની ઈમારતમાં લાગી આગ
સૂચના મળતા જ મોટા અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. પોલિસે મૃતકોના શબને હોસ્પિટલ મોકલી દીધા છે. આગનુ કારણ શૉર્ટ સર્કિટ જણાવાઈ રહ્યુ છે. માહિતી મુજબ ખજરાના રિંગ રોડ પર સ્વર્ણ કોલોનીમાં 2 માળની ઈમારતમાં આગ લાગી ગઈ. અહીં 13 ટુ વ્હીલર અને એક ફોર વ્હીલર ગાડી સળગી ગઈ છે. બિલ્ડિંગ ઈસાદ પટેલની છે. અહીં 10 ફ્લેટ હતા.

9 લોકોને બચાવી લેવાયા
માહિતી મુજબ અહીં રાતે લગભગ 9 લોકોને બચાવી લેવાયા છે. જે લોકોા આગમાં સળગી જવાથી મોત થયા છે તે આ બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા. આમાંથી અમુક લોકો ભણવા આવ્યા હતા. અમુક લોકો નોકરી કરતા હતા. મૃતકોમાં ઈશ્વરસિંહ સિસોદિયા(45), નીતુ સિસોદિયા(45), આશીષ(30), ગૌરવ(38), આકાંક્ષા(25) શામેલ છે. મૃતકોમાં 40 અને 45 વર્ષના બે લોકોની ઓળખ થઈ શકી નથી. મૃતકોમાં એક દંપત્તિ પણ શામેલ છે.

શૉર્ટ સર્કિટના કારણે લાગી આગ
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મોડી રાતે લગભગ 3 વાગે સૂચના મળી ત્યારબાદ તરત જ ટીમ રવાના થઈ ગઈ. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો પરંતુ અમુક લોકોના મોત થઈ ચૂક્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલા મીટરમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ વાહનોમાં લાગી જેનાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
