ઈંદોરમાં 2 માળની ઈમારતમાં લાગી આગ, 7 લોકો જીવતા ભૂંજાયા, 9ને બચાવાયા
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈંદોરમાં એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ છે. અહીં મોડી રાતે બે માળની ઈમારતમાં આગ લાગી ગઈ છે.
ઈંદોરઃ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈંદોરમાં એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ છે. અહીં મોડી રાતે બે માળની ઈમારતમાં આગ લાગી ગઈ છે. જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલા શામેલ છે. દૂર્ઘટના સમયે બધા સૂતા હતા. આગે ઝડપથી વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ. ઉંઘ ખુલે અને લોકો કંઈ સમજે એ પહેલા જ અમુક લોકો દાઝી ગયા અને અમુકનો શ્વાસ રુંધાઈ ગયો.
2 માળની ઈમારતમાં લાગી આગ
સૂચના મળતા જ મોટા અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. પોલિસે મૃતકોના શબને હોસ્પિટલ મોકલી દીધા છે. આગનુ કારણ શૉર્ટ સર્કિટ જણાવાઈ રહ્યુ છે. માહિતી મુજબ ખજરાના રિંગ રોડ પર સ્વર્ણ કોલોનીમાં 2 માળની ઈમારતમાં આગ લાગી ગઈ. અહીં 13 ટુ વ્હીલર અને એક ફોર વ્હીલર ગાડી સળગી ગઈ છે. બિલ્ડિંગ ઈસાદ પટેલની છે. અહીં 10 ફ્લેટ હતા.
9 લોકોને બચાવી લેવાયા
માહિતી મુજબ અહીં રાતે લગભગ 9 લોકોને બચાવી લેવાયા છે. જે લોકોા આગમાં સળગી જવાથી મોત થયા છે તે આ બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા. આમાંથી અમુક લોકો ભણવા આવ્યા હતા. અમુક લોકો નોકરી કરતા હતા. મૃતકોમાં ઈશ્વરસિંહ સિસોદિયા(45), નીતુ સિસોદિયા(45), આશીષ(30), ગૌરવ(38), આકાંક્ષા(25) શામેલ છે. મૃતકોમાં 40 અને 45 વર્ષના બે લોકોની ઓળખ થઈ શકી નથી. મૃતકોમાં એક દંપત્તિ પણ શામેલ છે.
શૉર્ટ સર્કિટના કારણે લાગી આગ
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મોડી રાતે લગભગ 3 વાગે સૂચના મળી ત્યારબાદ તરત જ ટીમ રવાના થઈ ગઈ. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો પરંતુ અમુક લોકોના મોત થઈ ચૂક્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલા મીટરમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ વાહનોમાં લાગી જેનાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ.