આ રાજ્યમાં 5 દિવસ નહી ચાલે ઈન્ટરનેટ, જાણો કારણ
આ રાજ્યમાં 5 દિવસ નહી ચાલે ઈન્ટરનેટ, જાણો કારણ
ઈન્ટરનેટ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે, એક જમાનો હતો જ્યારે લોકો ચા સાથે સમાચારપત્ર વાંચતા, રેડિયો સાંભળતા, ગાર્ડનમાં વોક કરવા જતા, હરીગીત ગાતા, પ્રભાતિયાં ગાતા પરંતુ આજના જમાનામાં ટેક્નોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ માનવી પણ ટેક્નોસેવી થતો ગયો છે અને બિનજરૂરી વસ્તુઓને વધુ મહત્વ આપતો થઈ ગયો છે, આજે વહેલી સવારે બિસ્તર પરથી ઉતરતા પહેલાં મોટાભાગના લોકો વોટ્સએપ અને ફેસબુક ચેક કરતા થયા છે. એવામાં કહેવામાં આવે કે પાંચ દિવસ ઈન્ટરનેટ નહીં ચાલે તો!!
જી હાં, મણિપુરમાં 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા પ્રભાવી રૂપે બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે 3-4 સંદિગ્ધ યુવાઓએ બીજા સમુદાય વિશેષની એક વેન વિશ્નુપૂરમાં આગના હવાલે કરી દીધી હતી, જે બાદ હાલાત ઘણા તણાવપૂર્ણ છે, કાનૂન વ્યવસ્થા પર સંકટ છે, જેને પગલે આ નિર્ણય માં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી 6 ઓગસ્ટે નિર્દેષ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ તસવીરો, નફરતી ભાષણનો ઉપયોગ તણાવ વધારવા માટે કરી રહ્યા છે, જેને કારણે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા પર ખતરો થઈ શકે છે.