Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇશરતના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી મળી

isharat-jahan
મુંબઇ, 11 જુલાઇ : છેલ્લા કેટલાક મહિનાથી ફરી લાઇમ લાઇટમાં આવેલા ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં હવે એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહની સંડોવણી હોવાની વાત બહાર આવી છે ત્યારે ઇશરત જહાંના મુંબઇમાં રહેતા કુટુંબને આજે જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

વર્ષ 2004માં ગુજરાત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અન્ય ત્રણ જણની સાથે જેને ઠાર મારી હતી તે 19વર્ષીય મુંબઈનિવાસી કોલેજિયન ઈશરત જહાંનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, ઈશરતના પરિવારજનોએ દાવો કર્યો છે કે એમને અજાણી વ્યક્તિઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ઈશરતના પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે થોડાક દિવસો પહેલા ચારથી પાંચ જણ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી.

ઈશરતની બહેને વધુમાં એવો આરોપ કર્યો છે કે એનાં પરિવારજનોની છેલ્લા એક મહિનાથી સતામણી કરવામાં આવી રહી છે. પરિવારે રક્ષણ આપવા માટે કેન્દ્રીય ગૃહ સચિવને લેખિતમાં વિનંતી પણ કરી છે. ગૃહ મંત્રાલયે તેમને સંપૂર્ણ રક્ષણની ખાતરી આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X