ઈઝરાયેલના રાજદૂત કેજરીવાલને મળ્યા, કહ્યું- અરવિંદ કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી
ઈઝરાયેલના રાજદૂત કેજરીવાલને મળ્યા, કહ્યું- અરવિંદ કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. દિલ્હી સરકાર તરફથી સત્તાવાર નિવેદન મુજબ, મુલાકાત બાદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી અને ઈઝરાયેલ માનવતાના કલ્યાણ અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરી શકે છે. નિવેદન મુજબ કેજરીવાલ અને ગિલોને સમય સાથે દિલ્હી અને ઈઝરાયેલ વચ્ચે સંબંધો વધુ ગાઢ કરવાના સંબંધમાં ચર્ચા કરી.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "તેમણે બંને દેશોના સંયુક્ત સમૃદ્ધ ઈતિહાસ વિશે વાત કરવાની સાથે જ તેને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સકારાત્મક પ્રગતિમાં દિલ્હી અને ઈઝરાયેલ કઈ રીતે એકબીજાની મદદ કરી શકે તે દિશામાં પણ વિચાર વિમર્શ કર્યો." નિવેદનમાં ગિલોનનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, "હું દિલ્હીમાં રહું છું, એવામાં કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી છે. તેમની સાથે મુલાકાત કરી હું બહુ ખુશ છું."
કર્ણાટક સરકારે આ નિરેણય પાછો લઈ લેવો જોઈએ
સમાચાર સામે આવ્યા હતા કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્ણાટકની સ્કૂલના પૂસ્તક દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઘેરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કર્ણાટકમાં શાળાના એક પુસ્તકથી ભગત સિંહ પર આધારિત એક પાઠ હટાવવાને લઈ દક્ષિણી રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આ પગલું મહાન સ્વતંત્રતા સેનાનીની શહાદતનું અપમાન છે અને કર્ણાટક સરકારે આ નિર્ણય પાછો લઈ લેવો જોઈએ.
કેશવ બલિરામ હેડગેવારનું ભાષણ સામેલ કર્યું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે દેશ પોતાના શહીદોનું આવી રીતે અપમાન સહન નહીં કરે. તેમણે ભાજપને સવાલ કર્યો કે, 'તેમના લોકો' ભાગત સિંહને આટલી નફરત કેમ કરે છે. ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટૂડેંટ્સ ઓર્ગેનાઈઝેશન અને ઑલલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી સહિત કેટલાંક સંગઠનોએ દાવો કર્યો કે કર્ણાટક સરકારે ભગત સિંહ પર આધારિત એક પાઠ સ્કૂલના પુસ્તકમાથી હટાવી દીધો છે તથા દસમા ધોરણની સંશોધિત કન્નડ પાઠ્યપુસ્તકમાં આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારનું ભાષણ સામેલ કર્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
