ટેક્નિકલ ખામીને કારણે રોકવામાં આવ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ
ટેક્નિકલ ખામીને કારણે રોકવામાં આવ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ
અંતરિક્ષમાં લાંબી છલાંબ લગાવવાના ઉદ્દેશ્યથી ભારત સોમવારે વહેલી સવારે 2.51 વાગ્યે બીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-2' લૉન્ચ કરશે. જેને 'બાહુબલી' નામના સૌથી તાકતવર રોકેટ GSLV- MK 3rd યાનથી મોકલવામાં આવશે. ચંદ્રયાન-2 ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ ક્ષેત્ર પર ઉતરશે જ્યાં અત્યાર સુધી એકેય દેશ નથી પહોંચી શક્યા. આનાથી ચાંદ વિશે સમજ વધારવામાં તો મદદ મળશે જ સાથે જ આનાથી એવી નવી ખોજ થશે જેનો ભારત અને સમગ્ર માનવતાને લાભ મળશે. ચંદ્રયાન-2નો ઉદ્દેશ્ય ચંદ્રમાની સતહમાં હાજર તત્વોનું અધ્યયન કરી એ માલૂમ લગાવવાનું છે કે તેના ચટ્ટાન અને માટી કયા તત્વોથી બન્યા છે. આ ઉપરાંત ચંદ્રયાન ત્યાં હાજર ખાડીઓ અને પહાડીઓની સંરચનાના અધ્યયનની સાથે તેની સતહનું ઘનત્વ અને તેમાં થતા પરિવર્તનની પણ તપાસ કરશે. ચંદ્રયાન-2 ચંદ્રમાની સપાટી પર જળ, હાઈડ્રોક્સિલના નિશાન શોધવા ઉપરાંત ચંદ્રમાની સતહની થ્રીડી તસવીર પણ લેશે.













Click it and Unblock the Notifications
