ISRO News : ઓગસ્ટ મહિનો ઈસરો માટે રહેશે ખાસ, જાણો ચંદ્રયાન 3 સહિતના મિશન
ISRO News : સિંગાપોરના સાત ગ્રહને અંતરિક્ષમાં મોકલ્યા બાદ ISRO આગામી થોડા મહિનામાં ઘણા મહત્વના મિશનને અંજામ આપવા જઇ રહ્યું છે. જેમાં ગગનયાન પરીક્ષણ, ચંદ્રયાન 3 લેન્ડિંગ, એસએસએલવી અને જીએસએલવીનો સમાવેશ થાય છે.
ISRO ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, આગામી મિશન ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં પીએસએલવી દ્વારા પણ મોકલી શકાય છે. અત્યારે ગગનયાનના પરીક્ષણ વાહનના વિવિધ ભાગોને એકીકૃત કરવામાં આવી રહ્યા છે.આ મિશન ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. આ પરીક્ષણ ત્રણ સભ્યોને ત્રણ દિવસ માટે અવકાશમાં 400 કિલોમીટરની ઉંચાઈ પર મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાના મુખ્ય મિશન વિશે છે.

ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, થોડા મહિનામાં ત્રીજા ડેવલપમેન્ટ મિશન માટે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ કરવામાં આવી શકે છે. INSAT-3DS ઉપગ્રહને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરી શકાય છે.
ISRO ના વૈજ્ઞાનિકો 14 જુલાઈના રોજ મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા વધારવામાં ખૂબ જ વ્યસ્ત છે અને પૃથ્વીની ભ્રમણકક્ષા છોડ્યા બાદ આ વાહન ચંદ્ર તરફના માર્ગ તરફ આગળ વધી રહ્યું છે. 1 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. આવા સમયે 23 ઓગસ્ટના રોજ સાંજે 05:47 કલાકે, ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થઈ શકે છે
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
