રાજકીય પક્ષો માટે મનસ્વી રીતે દાન લેવું મુશ્કેલ બનશે, ચૂંટણી પંચે કરી આ ભલામણ
રાજકીય પક્ષો માટે મનસ્વી રીતે ડોનેશન લેવું મુશ્કેલ બની રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20,000 રૂપિયાથી ઘટાડીને 2,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે.
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : રાજકીય પક્ષો માટે મનસ્વી રીતે ડોનેશન લેવું મુશ્કેલ બની રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20,000 રૂપિયાથી ઘટાડીને 2,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC), રાજીવ કુમારે કાયદા મંત્રાલયને રાજકીય પક્ષોને રોકડ દાનની મર્યાદા નક્કી કરવા માટે પત્ર લખ્યો છે.

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને લખેલા તેના પત્રમાં, CECએ રોકડ દાનને 20 ટકા અથવા રૂપિયા 20 કરોડ બેમાંથી જે ઓછું હોય તે સીમિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે, રાજકીય પક્ષોને મળતા કુલ દાનમાંથી રોકડ દાન વધારીને 20 ટકા અથવા વધુમાં વધુ 20 કરોડ કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કાળા નાણામાંથી ચૂંટણી દાનને સાફ કરવા માટે બેનામી રાજકીય દાન અંગે આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોકોના પ્રતિનિધિત્વ (RP) કાયદામાં અનેક સુધારાની ભલામણ કરી છે. દરખાસ્ત મુજબ, રાજકીય પક્ષોએ 2000 રૂપિયાથી ઓછી રોકડની જાણ કરવાની જરૂર નથી. હાલમાં અમલમાં છે તે નિયમો અનુસાર, રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના તમામ દાનને તેમના યોગદાન અહેવાલ દ્વારા જાહેર કરવું પડશે, જે ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવે છે.
ચૂંટણી પંચે તાજેતરમાં 284 ડિફોલ્ટર અને નોન-કમ્પ્લાયન્ટ રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP)ને દૂર કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. 284 માંથી 253 થી વધુ નિષ્ક્રિય જાહેર કરવામાં આવ્યા છે.
CEC Rajiv Kumar writes to law ministry to cap cash donation to political parties
— ANI Digital (@ani_digital) September 20, 2022
Read @ANI Story | https://t.co/Wm6FJvhNw6#CEC #RajivKumar #LawMinistry pic.twitter.com/8RIGTeaokR
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
