Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇટલીએ કર્યો દગો, પીએમ આક્રમક મૂડમાં

Manmohan-Singh
નવી દિલ્હી, 12 માર્ચઃ ભારતમાં હત્યાના આરોપી નૌસેનાના બે સૈનિકોને ઇટલીથી પરત નહીં મોકલવાના મુદ્દાએ ગરમી પકડી છે. આ બન્ને સુપ્રીમ કોર્ટની પરવાનગી લઇને મત આપવા માટે ઇટલી ગયા હતા, પરંતુ ઇટલી સરકાર કહી રહી છે કે આ બન્ને હવે ભારત પરત નહીં ફરે. ઇટલી દ્વારા કરવામા આવેલા આ દગા સામે ભારતે આપત્તિ વ્યક્ત કરી છે અને પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું છે કે ઇટલીનું વલણ અસ્વિકાર્ય છે.

વિપક્ષે સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ભાજપનું કહેવું છે કે જો સરકાર તેના પર જવાબ નહીં આપે થો સંસદ ચાલવા દેવામાં નહીં આવે. ભાજપના પ્રવક્તા તરુણ વિજયે કહ્યું કે, સરકારે જણાવવું પડશે કે શા માટે ઇટલી, ભારતમાં હત્યાના આરોપી સૈનિકોને પરત મોકલવા નથી ઇચ્છતું. યુપીએ સરકારના સહયોગી એનસીપીનું પણ કહેવું છે કે, આ મુદ્દે વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવવું જોઇએ. લેફ્ટના સાંસદ આ મુદ્દે પીએમને મળ્યા હતા અને પીએમએ કહ્યું છે કે ઇટલી સરકારના આ વલણને સહન કરવામાં નહીં આવે.

પીએમએ આશ્વાસન આપ્યું છે કે વિદેશમંત્રી સાથે વાત કરીશુ કે તે આ મામલામાં દખલગીરી કરે અને તમામ કૂટનીતિક અને કાયદાકીય પગલા ઉઠાવવામાં આવે. આ મુદ્દે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદનું કહેવું છે કે તે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાના દેશ ગયા હતા અને તેની સાથે સરકારને કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, સરકારે સાથે કોઇ સમજૂતિ નથી, મને વિશ્વાસ છે કે તે ભારત પરત ફરશે અને કોર્ટને જવાબ આપશે. આ મામલે જે કંઇપણ કરવાનું છે તે કોર્ટ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X