For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી ખુલ્યું વિવાદોનું 'પુસ્તક', સલમાન રશ્દીનો વિરોધ શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jaipur-literature-festival-2013
જયપુર, 21 જાન્યુઆરી: સલમાન રશ્દીના પુસ્તકને લઇને જયપુર સાહિત્ય સંમેલન ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. મુસ્લિમ સંગઠન જમત એ નામૂસ એ રસૂલને ચેતાવણી આપી છે કે જો સંમેલનમાં સલમાન રશ્દીના પુસ્તકના વિવાદિત અંશ વાંચનાર ચાર લેખકોને બોલાવવામાં આવ્યા તો તેનો વિરોધ કરવામાં આવશે.

અજમત-એ-નામૂસ-એ-રસૂલની ગઇકાલે એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં દેશભરના ઉમેલા અને મોલવી આવ્યા હતા. આ નિર્ણય તે બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ મુસ્લિમ સંગઠનના લેખક રૂચિ શર્મા, જીત થ્યાલ, અમિતાભ કુમાર અને કુંજરૂના આપવા પર વિરોધ કરવામાં આવ્યો હતો.

અજમત-એ-નામૂસ-એ-રસૂલના સંયોજક સહરાઇએ કહ્યું હતું કે સાહિત્ય સંમેલનને લઇને અમને કોઇ વાંધો નથી. પરંતુ તેમાં જો આવા લેખકોને બોલાવવામાં આવશે અથવા કોઇ ફિલ્મ અથવા આવા પુસ્તકને મુકવામાં આવશે કે જેમાં ઇસ્લામનો અનાદર થતો હોય તે અમે સહન કરી શકીશું નહી.

સહરાઇએ કહ્યું હતું કે પહેલાં અમે આવું કર્યું છે જો તે લેખકોને બોલાવવામાં આવશે તો પછી અમે વિરોધ કરીશું. જયપુર પોલિસ કમિશ્નર બી એલ સોનીએ કહ્યું હતું કે આયોજકોએ અમને કહ્યું છે કે અહીં સલમાન રશ્દીના પુસ્તક સંબંધિત કશું કરવાનું નથી. આવા સમયે જો કોઇપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન થશે તો કડક વ્યવહાર કરવામાં આવશે.

English summary
Over the years, Jaipur Literature Festival has grown as a prominent platform to promote rich literary heritage of India and its neighbouring countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X