For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જવાબ આપવા યોગ્ય નથી જેઠમલાણીનો પત્રઃ જેટલી

|
Google Oneindia Gujarati News

arun-jaitley
નવીદિલ્હી, 27 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીમાંથી નિલંબિત રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ પાર્ટીની દશા અને દિશા પર પ્રશ્નો ઉઠાવતા અધ્યક્ષ નિતિન ગડકરીને પત્ર લખ્યો છે, જોકે, પાર્ટીએ કહ્યું છે કે તે ટિપ્પણીને લાયક નથી.

ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીનું રાજીનામું માંગનાર અને સીબીઆઇ નિદેશકના રૂપમાં રંજીત સિન્હાની નિયુક્તિ પર પાર્ટી લાઇનથી હટીને સરકારના પક્ષમાં નિવેદન આપ્યા બાદ અનુશાસનહીનતા હેઠળ પગલું ભરતા જેઠમલાણીને પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવ્યા હતા અને તેમને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી હતી.

જેઠમલાણીના પત્ર અંગે પૂછવામાં આવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું, 'હું નથી સમજતો કે જેઠમલાણીને વધુ જવાબ આપવાની જરૂર છે.' તેમણે કહ્યું છે કે તેઓ એ અંગે કોઇ ટિપ્પણી કરવા માગતા નથી.

નોંધનીય છે કે જેઠમલાણીએ સોમવારે કહ્યું હતું કે તેમણે નિતિન ગડકરીને પત્ર લખ્યો છે પરંતુ તે તે અંગે કંઇ કહી નહી શકે. જેઠમલાણી, ગડકરીના રાજીનામાની પહેલા જ માંગ કરી ચૂક્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છેકે જેઠમલાણીએ પોતાના પત્રમાં પાર્ટીની દશા અને દિશા પર ચિંતા વ્યક્ત કરી છે અને વર્તમાનના નેતૃત્વ સામે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.

English summary
BJP leader Arun Jaitley today refused to get into a war of words with Ram Jethmalani, who has accused him of having a role in the CBI Director appointment controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X