જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં CRPF ઑફિસરે ખુદને ગોળી મારી, લગ્નમાં તણાવના કારણે કરી આત્મહત્યા
જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં CRPF ઑફિસરે ખુદને ગોળી મારી, લગ્નમાં તણાવના કારણે કરી આત્મહત્યા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ઑફિસરે પોતાના પર્સનલ વેપેનથી ખુદને ગોળી મારી દીધી છે. ઑફિસરનું નામ એમ અરવિંદ છે અને તે આસિસ્ટન્ટ કમાંડેટના પદ પર તહેનાત હતા. સીઆરપીએફ તરફથી શરુઆતી તપાસમાં જે જાણકારી મળી છે તે અંતર્ગત કમાંડેન્ટ પોતાના લગ્નજીવનથી પરેશાન હતો અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી લીધી છે.
આસિસ્ટેન્ટ કમાંડેટની આત્મહત્યાના અહેવાલ સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારની અફવા ચાલી રહી છે. સીઆરપીએફે આની સાથે જ એ વાતનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે કમાંડેટે સુરક્ષાબળ તરફથી ઉપલબ્ધ કરવામાં આવેલ ખરાબ વ્યવસ્થાને પગલે આત્મહત્યા કરી. સોશિયલ મીડિયા પર આ પ્રકારની ખબરો આવી રહી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આસિસ્ટેન્ટ કમાંડેટ વ્યવસ્થાથી પરેશાન હતા. જેને પગલે તેણે આત્મહત્યા કરવાનો ફેસલો લીધો કર્યો.
આ ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા હતા અરુણ જેટલી