જમ્મુ કાશ્મીર: પુલવામામાં CRPF અને પોલીસ પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ પર આતંકી હુમલો થયો છે. ગુરુવારે થયેલા આ હુમલામાં બે જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ પર આતંકી હુમલો થયો છે. ગુરુવારે થયેલા આ હુમલામાં બે જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
બુધવારે એક દિવસ પહેલા શ્રીનગરના પાંડે વિસ્તારમાં બીએસએફ પાર્ટી પર હુમલો થયો હતો. જેમાં બે જવાનો શહિદ થયા હતા અને સૈનિકો પાસેથી શસ્ત્રો છીનવી લેવામાં આવ્યા હતા. મંગળવારે શ્રીનગરના નવાકાદલ વિસ્તારમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સાથે મોટી મુકાબલો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ સુરક્ષા કર્મીઓ પણ ઘાયલ થયા હતા.
કાશ્મીરમાં હાલના સમયમાં આતંકવાદી બનાવોમાં વધારો થયો છે. આ પહેલા 16 મેના રોજ કુલગામના યરીપોરા નજીક સુરક્ષા દળો અને પોલીસ ટીમો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ અમીન શહીદ થયા હતા.
આ પણ વાંચો: અમરેલીમાં માસ્ક ના પહેરનારા 874 લોકોને 1.90 લાખનો દંડ