અનંતનાગમાં મોટુ આતંકી ષડયંત્ર નિષ્ફળ, 11 શંકાસ્પદ આતંકવાદીઓની પકડાયા
જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ બંને મૉડ્યુલ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે. પોલિસે અનંતનાગ જિલ્લામાં આ આતંકી સંગઠન સાથે જોડાયેલા 11 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી હથિયાર અને અમુક શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. વરિષ્ઠ પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે જૈશ સાથે જોડાયેલા અમુક આતંકી પોલિસ અને સુરક્ષાબળો પર અનંતનાગમાં ચેકપોઈન્ટ અને અલગ-અલગ છાવણીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.
શ્રીગુફવાડા ગામમાં સખરાસ ચાર રસ્તા પર સ્થિત એક ચોકી દરમિયાન બાઈક સવાર ત્રણ લોકોને રોકવામાં આવ્યા તો આ લોકો ભાગવાની કોશિશ કરવા લાગ્યા ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા. પોલિસે જણાવ્યુ કે આ લોકોની તપાસ કરવામાં આવી તો તેમની પાસેથી બે ચાઈનીઝ પિસ્તોલ, મેગ્ઝીન અને અન્ય હથિયારો જપ્ત થયા છે.
આ શંકાસ્પદોની પ્રારંભિક પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે લિવર પલહગામના રહેવાસી છે. તેમના નામ અબ્બાલ ખાન, જહૂર ગોવગુર્જી અને હિદાયતુલ્લાહ કુતાય છે. આ લોકોએ જણાવ્યુ કે આ લોકો જૈશ સાથે જોડાયેલ છે અને પાકિસ્તાનમાં બેઠેલા હેંડલર સાથે સીધા સંપર્કમાં છે. આ લોકો તેમના જ ઈશારે કામ કરી રહ્યા છે. આ લોકો શ્રીગુફવારામાં પોલિસ અને સુરક્ષાબળો પર હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ આ લોકો અધિકૃત રીતે જૈશ સાથે જોડાયેલા સંગઠન કેએફએફ સાથે જોડાઈ જતા.