પુલવામાઃ આતંકીઓ સામેના એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ
પુલવામાઃ એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ
પુલવામાઃ દક્ષિણ કાશ્મીરના પુલવામાથી ફરી એકવાર ખરાબ સમાચાર આવી રહ્યા છે. પુલવામાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષાબળો અને જૈશ એ મોહમ્મદના આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક મેજર અને ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. એક જવાન ઘાયલ થયા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છૂપાઈને બેઠા છે જેમાં પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ પણ સામેલ છે. જે સૈનિક શહીદ થયા છે તે તમામ સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જોડાયેલ હતા.

અઝહરે મોકલેલ આતંકીને ઘેર્યા
સેનાને પુલવામાના પિંગલાન વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. જે બાદ અહીં 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ થયા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું. આ એન્કાઉન્ટરમાં 1-2 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલા બાદ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટરમાં જે આતંકી છૂપાયા છે તેમને જૈશના મુખ્યા મૌલાના મસૂદ અઝહરે મોકલ્યા હતા.
આ પણ વાંચો- કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
