For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી

સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન-25', તૈયાર થઈ આતંકીઓની કુંડલી

|
Google Oneindia Gujarati News

દેશમાં ઉભરાઈ રહેલ ગુસ્સો અને શહાદત પર બદલાની માંગ વચ્ચે સુરક્ષાદળોની સામે હાલ સૌથી મોટો ટાર્ગેટ પુલવામાના રાક્ષસોને શોધવાનો છે. પુલવામાના રાક્ષસ એટલે આત્મઘાતી હુમલાખોર આદિલ ડારને ટ્રેનિંગ આપનાર અફઘાની આતંકી રાશિદ. ગુપ્ત એજન્સીઓને પુખ્તા ઈનપુટ મળ્યા છે કે હુમલા સમયે ગાઝી રાશિદનો ચેલો કામરાન પણ પુલવામામાં જ હાજર હતો. હુમલા બાદ જેટલી તેજીથી સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી તેનાથી એ મુમકિન નથી કે ગાઝી પુલવામાના 25 કિમીથી વધુ આગળ નીકળી શક્યો હોય. આ જ છે સેનાનું ઓપરેશન 25.

ઓપેશન 25 શરૂ

ઓપેશન 25 શરૂ

ખુફિયા એજન્સીઓ મુજબ ગાઝી પુલવામાથી પંપોરના 25 કિમીના વિસ્તારમાં જ ક્યાંક આતંકના હમદર્દોનો આસરો લઈને બેઠો છે અને ઘેરો ઢીલો પડ્યે નીકળી ભાગવાની ફિરાકમાં છે. આમ તો જૈશ એ મોહમ્મદ પર પાકિસ્તાની ખુફિયા એજન્સીઓની પહેલેથી જ નજર છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ ભારત આ આતંકી ગ્રુપની કુંડળી તૈયાર કરી દુનિયા સામે રાખવાની તૈયારીમાં છે. જૈશના લીડર અબ્દુલ રઉફ અસગરે તાજેતરમાં જ કરાચી ચંદા અભિયાન ચલાવ્યું હતું.

પુલવામા હુમલા પહેલા હુર્રિયત નેતાઓએ પાક વિદેશ મંત્રી સાથે કરી હતી વાત, જાણો તેમનો ઈતિહાસપુલવામા હુમલા પહેલા હુર્રિયત નેતાઓએ પાક વિદેશ મંત્રી સાથે કરી હતી વાત, જાણો તેમનો ઈતિહાસ

6 દિવસ સુધી અભિયાન ચલાવી રૂપિયા એકઠા કર્યા

6 દિવસ સુધી અભિયાન ચલાવી રૂપિયા એકઠા કર્યા

રઉફે દૌરા-એ-તફસીરિયાત-અલ-જિહાદના નામે લોકો પાસેથી પૈસા લીધા. 6 દિવસ સુધી ચલાવવામા આવેલ અભિયાનની રકમ જૈશના ટ્રસ્ટ અલ રહમતમાં જમા કરવામાં આવી. 2016ના પઠાણકોટ હુમલા પહેલા પણ અલ રહમત ટ્રસ્ટ દ્વારા મોટું ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. જૈશની અલ રહમત ટ્રસ્ટને આઈએસઆઈ તરફથી પણ દર વર્ષે સીક્રેટ ફંડ તરીકે મોટી રકમ મળે છે. NIAએ અલ રહમત ટ્રસ્ટના દાનદાતાઓ અને મદદગારો પર આકરી નજર રાખી છે.

જૈશને આગળ કરી પોતાના જિહાદી એજન્ડા ચલાવી રહ્યું છે ISI

જૈશને આગળ કરી પોતાના જિહાદી એજન્ડા ચલાવી રહ્યું છે ISI

ભારત વિરુદ્ધ આતંકી હુમલામાં પાછલા કેટલાક સમયથી જૈશ-એ-મોહમ્મદે જેવી રીતે લશ્કર પર બઢત બનાવી છે, તેની પાછળ પણ એક રણનીતિ છે. લશ્કરની ગતિવિધિઓને લઈ દુનિયાભારની નજરમાં આવી ચૂકેલ પાકિસ્તાન આતંકી દેશ પ નજ રાખનાર સંસ્થા એફએટીએફની ગ્રે લિસ્ટમાં પહેલેથી જ સામેલ છે. માટે આઈએસઆઈએ લશ્કરને બૈકસીટ પર બેસાડીને પોતાનો જેહાદી એજન્ડા જૈશના હવાલે સોંપી દીધો છે.

‘જે આગ તમારા દિલમાં છે તે આગ મારા દિલમાં પણ છે': પીએમ મોદી‘જે આગ તમારા દિલમાં છે તે આગ મારા દિલમાં પણ છે': પીએમ મોદી

પાકિસ્તાનને આતંકી દેશ ઘોષિત કરશે ભારત

પાકિસ્તાનને આતંકી દેશ ઘોષિત કરશે ભારત

પરંતુ પાકિસ્તાનની આ ચાલ પણ પાકિસ્તાન પર જ ઉંધી પડશે. પેરિસમાં રવિવારથી FATFની બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં ભારત સહિત તમામ દેશ પાકિસ્તાનના કાચા ચિઠ્ઠા ખોલશે. ભારતની પૂરી કોશિશ હેશે કે પાકિસ્તાનને દુનિયામાં આતંકી દેશ ઘોષિત કરવામાં તમામ અડચણો પાર કરી શકાય.

પુલવામા હુમલોઃ લાલ રંગની કાર વિશે નજરે જોનારાએ કર્યો મોટો ખુલાસોપુલવામા હુમલોઃ લાલ રંગની કાર વિશે નજરે જોનારાએ કર્યો મોટો ખુલાસો

English summary
indian army started operation 25 to revenge pulwama attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X