Jammu & Kashmir : પુંછમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુ, 5 જવાનોના મોત
Jammu & Kashmir : જમ્મુ કાશ્મીરમાં સેનાના વાહનને ગોજારો અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં સેનાના 5 જવાનોએ તેમના જીવ ગુમાવ્યા છે.
સમાચાર અનુસાર, જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંધર વિસ્તારના બાલનોઈ વિસ્તારમાં ઘટેલી આ દુર્ઘટનામાં સેનાનું એક વાહન 350 ફૂટ ઉંડી ખીણમાં પડ્યુ.

નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોડા પોસ્ટ તરફ જઈ રહેલુ આ વાહન ખીણમાં પડતા તેમાં મુસાફરી કરી રહેલા પાંચ જવાનોના મોત થયા છે.
અકસ્માતની માહિતી મળતા 11 એમએલઆઈની ક્વિક રિસ્પોન્સ ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સિવાય ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ દુર્ઘટના ઘોડા પોસ્ટ પાસે થઈ જે સેનાની નિયમિત અવરજવરનો માર્ગ છે.
આ ઘટના પછી પ્રાથમિકતા ઘાયલ સૈનિકોને તબીબી સહાય પૂરી પાડવાની હતી. ક્યુઆરટીની ત્વરિત કાર્યવાહી કટોકટીના સમયમાં સેનાની તત્પરતા અને શિસ્તને દર્શાવે છે.
કઠોર અને ખતરનાક પહાડી માર્ગોમાં સૈનિકોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેનું આ અકસ્માત ઉદાહરણ છે. આવા વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી અને હિલચાલ દરમિયાન તકેદારી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ હંમેશા પ્રાથમિકતા છે.
આ ઘટના બાદ બચાવ કામગીરીમાં સેનાની તેજી અને સંકલનથી સાબિત થયું કે કટોકટીના સમયમાં પણ સૈનિકો પોતાની ફરજ નિભાવવા તત્પર રહે છે.












Click it and Unblock the Notifications
