For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ અથડામણમાં માર્યા ગયા 4 આતંકવાદી, હંદવાડા, ગાંદરબલ અને પુલવામાં એનકાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણથી ચાર વિસ્તારોમાં અથડામણના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણથી ચાર વિસ્તારોમાં અથડામણના સમાચાર છે. આ અથડામણમાં અત્યાર સુધી કુલ ચાર આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે શનિવારે સવારે કહ્યુ કે અમે કાલે રાતે 4-5 સ્થળોએ સંયુક્ત અભિયાન શરુ કર્યુ હતુ. પુલવામામાં અત્યાર સુધી 1 પાકિસ્તાની સહિત જેઈએમના 2 આતંકવાદી માર્યા ગયા છે. વળી, લશ્કરનો એક આતંકવાદી ગાંદરબલઅને હંદવાડામાં માર્યા ગયા છે. હંદવાડા અને પુલવામામાં અથડામણ ખતમ થઈ ગઈ છે. એક આતંકવાદી જીવતો પકડાઈ ગયો છે.

encounter

જાણો કાશ્મીરના કયા-કયા વિસ્તારોમાં થઈ અથડામણજમ્મુ

-કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ હંદવાડાના રજવાર વિસ્તારમાં અથડામણ શરુ થઈ છે. પોલિસ અને સુરક્ષાબળો ઑપરેશનને અંજામ આપી રહ્યા છે. આ અથડામણમાં અત્યાર સુધી એક આતંકવાદી માર્યો ગયો છે. ઑપરેશન હજુ પણ ચાલુ છે.

વળી, ગાંદરબલના સર્ચ વિસ્તારમાં પણ અથડામણ ચાલુ છે. પોલિસ અને સુરક્ષાબળ ઑપરેશનને અંજામ આપી રહ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા મુજબ પાકિસ્તાન પ્રાયોજિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરના 2 આતંકવાદી ફસાયેલા છે. જો કે, થોડી વાર બાદ ફસાયેલા બંને આતંકવાદીઓમાં એકને સેનાએ ઠાર માર્યો છે. જમ્મુ કાશ્મીર પોલિસે કહ્યુ છે કે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે.

વળી, કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યુ કે પુલવામા અથડામણમાં પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મરાયો. તમને જણાવી દઈએ કે પુલવામાના ચેવાકલાં વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ હતી જે હજુ પણ ચાલુ છે.

English summary
Jammu Kashmir encounter in Handwara and Ganderbal all you update here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X