For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓપરેશન ઓલઆઉટમાં સેનાને મોટી સફળતા, 6 આતંકી ઠાર

સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે.

|
Google Oneindia Gujarati News

સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાબળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી લડાઈમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જયારે અનંતનાગમાં સેના સાથે થયેલી લડાઈમાં ચાર આતંકી માર્યા ગયા છે.

jammu kashmir

જવાબી હુમલામાં આતંકીઓએ ત્રાસના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર ગોળીઓ ચલાવી જયારે સુરક્ષાબળો ઘ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આતંકીઓની હાજરી વિશે સૂચના મળ્યા પછી સુરક્ષાબળોએ બારામુલ્લાના કિરી વિસ્તારને ચારે તરફથી ઘેરીને જાંચ અભિયાન શરુ કર્યું તેની સાથે જ આતંકીઓ તરફથી ફાયરિંગ શરુ કરી દેવામાં આવી. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને બે આતંકીઓને ઠાર માર્યા.

આ પણ વાંચો: શ્રીનગર: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર

આતંકીઓએ ગુરુવારે મોડી સાંજે સેનાના કેમ્પને નિશાનો બનાવ્યો. પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે આતંકીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો છે. આતંકીઓએ ત્રાલના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સેનાના કેમ્પને નિશાનો બનાવતા જબરજસ્ત ગોળીબારી કરી. આ ગોળીબારીમાં બે જવાન ઘાયલ થયા છે.

આ પણ વાંચો: આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું મિશન ઓલઆઉટ, જાણો શુ થશે

જયારે વધુ એક જાંચ અભિયાન હેઠળ અનંતનાગ જિલ્લાના અરવાની કુલગામમાં સેના સાથેના એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ માર્યા ગયા છે. આપને જણાવી દઈએ કે બુધવારે શ્રીનગરના નૌગામમાં સુરક્ષાબળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એમફીલ ડિગ્રી ધારક સહીત હિઝબુલ મુજાહિદીનના 2 આતંકીઓ માર્યા ગયા હતા.

English summary
Jammu Kashmir: Four terrorists were neutralised in an encounter by security forces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X