જમ્મુ-કાશ્મીરના 3 કર્મચારીઓ ટર્મિનેટ, આતંકવાદી સમૂહો સાથે કરી રહ્યા હતા કામઃ સૂત્ર
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર સરકારે કથિત રીતે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે કામ કરવા અને આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પૂરા પાડવા, આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા, આતંકવાદી નાણાં ઉભા કરવા અને અલગાવવાદી એજન્ડાને આગળ વધારવા માટે 3 કર્મચારીઓને સેવાઓમાંથી કાઢી મૂક્યા છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ.
કાશ્મીર યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર (પીઆરઓ) ફહિમ અસલમ, રેવન્યુ ઓફિસર મોરબ્બત હુસૈન અને પોલીસ કૉન્સ્ટેબલ અરશદ અહેમદને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર સરકારે ત્રણ કર્મચારીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણ કર્મચારીઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન માટે કામ કરતા હતા અને તેઓ આતંકવાદીઓને મદદ કરતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય જવાનો આતંકવાદીઓને ઘાટીમાં તેમની વિચારધારા ફેલાવવામાં મદદ કરી રહ્યા હતા, આતંકવાદી ગતિવિધિઓ માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી રહ્યા હતા જેથી આતંકવાદીઓ ઘાટીમાં તેમના અલગતાવાદી એજન્ડાને આગળ ન વધારી શકે.
મળતી માહિતી મુજબ, કાશ્મીર યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી ફહીમ અસલમ, રેવન્યુ વિભાગમાં કામ કરતા મુરવત હુસૈન મીર અને પોલીસ કૉન્સ્ટેબલ અરશદ અહેમદ થોકરને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ લોકો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે 55 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત સંગઠનોને ફરીથી સક્રિય કરવાનું ષડયંત્ર રચવાના આરોપમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો એક હોટલમાં મીટિંગ કરી રહ્યા હતા, મીટિંગમાં ઘણા અલગતાવાદી નેતાઓ પણ સામેલ હતા. જે બાદ પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી.
આ બેઠકમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હુર્રિયત જેવા પ્રતિબંધિત સંગઠનોને પુનર્જીવિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા લોકો પાકિસ્તાની હેન્ડલર્સની સૂચના પર કામ કરતા હતા. આ લોકો અલગતાવાદીઓનો એજન્ડા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
