ભારતીય સેનાએ POK માં આતંકીઓના 4 લોન્ચ પેડ તબાહ કર્યા

આજે, ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તેના ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.

આજે, ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તેના ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવા માટે, આમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા હતા, એક નાગરિક પણ માર્યો ગયો હતો, ત્યારબાદ આર્મીએ પીઓકે સ્થિત ભાગમાં ગોળીબારી શરુ કરી દીધી છે. જેમાં અનેક આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન ઘ્વારા એલઓસી પર ફાયરિંગ

પાકિસ્તાન ઘ્વારા એલઓસી પર ફાયરિંગ

અહેવાલ મુજબ, પાકિસ્તાન દ્વારા એલઓસી પર ગોળીબારને કારણે આજે સવારે બે મકાનો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે, જ્યારે અન્ય ઘણા મકાનોને પણ નુકસાન થયું છે. કેટલીક કાર અને પશુઓને નુકસાન થયું છે, ત્યારબાદ ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપવાનું શરૂ કર્યું છે.

શોપિયાંમાં વધુ એક સફરજન વેપારીની હત્યા

ગત બુધવારે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ એક અન્ય સફરજન વેપારીની હત્યા કરી હતી. બુધવારે સાંજે સાડા સાત વાગ્યે આતંકવાદી હુમલામાં એક વેપારીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ વખતે આતંકીઓએ પંજાબના સફરજન વેપારીને નિશાન બનાવ્યું છે. આતંકીઓની ગોળીબારમાં બીજો ઉદ્યોગપતિ ઘાયલ થયો છે.

21 નાગરિકોની મૌત

15 સપ્ટેમ્બરના રોજ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાને 2050 કરતા વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં 21 નાગરિકો માર્યા ગયા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: તંગધારમાં પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X