J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયો
J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયો
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પુલવામાના બબગુંડમાં ચાલી રહેલ મુઠભેડમાં સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. સુરક્ષાદળો મુજબ પુલવામાની આજુબાજુ કેટલાય આતંકવાદીઓ છૂપાયેલા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હાલ સંઘર્ષ ચાલી રહ્યો છે. ઘાટીમાં ચાલી રેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અડચણ પેદા કરવા માટે આતંકવાદીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

અગાઉ બારામૂલાના સોપોરમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ પોલીસકર્મીના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી હતી. પોલીસકર્મીનું નામ જાવેદ અહમદ જણાવવામાં આવી રહ્યું છે, જે જમ્મૂ કાશ્મીર પોલીસમાં એસપીઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જમ્મુ અે કાશ્મીર પોલીસ સેવામાં રહેતા જાવેદે કેટલાય ગ્રાઉન્ડ રિપોર્ટને અંજામ આપ્યો હતો.
જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ત્રીજા તબક્કામાં શનિવારે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે જિલ્લાના 96 વોર્ડમાં મતદાન શરૂ થઈ ગયું છે. 365 ઉમેદવારના ભાગ્યનો ફેસલો 1,93,990 મતદાતા કરશે.
આ પણ વાંચો- Me Too મામલાની સુનાવણી માટે બનશે રિટાયર્ડ જજોની કમિટીઃ મેનકા ગાંધી
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
