જમ્મુ કાશ્મીર : કઠુઆ પોલિસ સ્ટેશન પર આતંકી હુમલો, 3 જવાન શહિદ, બે આતંકીની મોત
જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક પોલિસ સ્ટેશન પર આતંકવાદીઓએ આજે સવારે હુમલો કર્યો. આર્મીના કપડામાં આવેલા આ આતંકવાદીઓ અદ્યતન હથિયારોથી લેસ હતા. તેમણે પોલિસ સ્ટેશન પર અંધાધૂન ગોળીઓ અને હાથગોળા ફેંક્યા.
આ હુમલામાં બે સુરક્ષાબળ અને એક પોલિસ કર્મીની મોત થઇ ગઇ છે. વધુમાં એક સ્થાનિક વ્યક્તિ પણ આ હુમલામાં માર્યો ગયો છે. જો કે સેનાએ બે આતંકવાદીઓને મોતને ધાટ ઉતારી દેવામાં સફળતા મળી છે.
પીડીપી સરકારે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. પીડીપીના નેતા નઇમ અખ્તરે કહ્યું છે કે હવે સ્થિતિ કંટ્રોલમાં છે અને અન્ય આતંકવાદીઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે.
તો બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તમે આવા મુખ્યમંત્રી જોડે શું અપેક્ષા રાખી શકો જે પોતે આતંકવાદી નેતા આલમને જેલથી છોડાવ્યો હોય.
સવારે 6 વાગે કઠુઆના પોલિસ સ્ટેશન પર આ આતંકી હુમલો થયો હતો. હજી સુધી તે જાણી નથી શકાયું કે આ હુમલામાં કેટલા આતંકીઓ હતા. આશંકા છે કે 3થી 4 આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. જેમની તપાસ હાલ ચાલી રહી છે.
વધુમાં આ પોલિસ સ્ટેશન અંતરરાષ્ટ્રિય સીમાથી 15 કિલોમીટર દૂર હોવાના કારણે સુરક્ષા કારણોથી જમ્મુ-પઠાનકોટ રાષ્ટ્રિય રાજમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.